For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કરીના-રણબીરના દાદી કૃષ્ણા રાજ કપૂરનું નિધન, શોકમાં બોલિવુડ

એક દુખદ સમાચાર બોલિવુડથી આવી રહ્યા છે. જાણીતા દિવંગત અભિનેતા રાજકપૂરના પત્ની કૃષ્ણા રાજ કપૂરનું આજે સવારે 4 વાગે નિધન થઈ ગયુ છે.

|
Google Oneindia Gujarati News

એક દુખદ સમાચાર બોલિવુડથી આવી રહ્યા છે. જાણીતા દિવંગત અભિનેતા રાજકપૂરના પત્ની કૃષ્ણા રાજ કપૂરનું આજે સવારે 4 વાગે નિધન થઈ ગયુ છે. તેઓ 87 વર્ષના હતા અને શ્વાસની બિમારીથી ત્રસ્ત હતા. તેમની છબી એક મોહક સ્મિત ધરાવતી મહિલાની હતી જેણે પરિવારને જોડી રાખ્યો હતો.

1946 માં કૃષ્ણાના લગ્ન રાજકપૂર સાથે થયા

1946 માં કૃષ્ણાના લગ્ન રાજકપૂર સાથે થયા

વર્ષ 1946 માં તેમના લગ્ન રાજકપૂર સાથે થયા હતા. તેના પાંચ બાળકો રણધીર, ઋષિ, રાજીવ, રીમા અને રીતુ છે. તે કરિશ્મા, રણબીર, રિદ્ધિમા કપૂરના દાદી હતા.

આ પણ વાંચોઃ VIDEO: તનુશ્રી દત્તા પર હુમલાનો વીડિયો આવ્યો સામે, જોઈને ધ્રૂજી જશો તમેઆ પણ વાંચોઃ VIDEO: તનુશ્રી દત્તા પર હુમલાનો વીડિયો આવ્યો સામે, જોઈને ધ્રૂજી જશો તમે

પુત્ર રણધીર કપૂરે આપી માતાના નિધનની જાણકારી

પોતાની માતાના નિધનની જાણકારી આપતા પુત્ર રણધીર કપૂરે ટ્વીટ કર્યુ કે મને જણાવતા દુખ થાય છે કે મે આજે સવારે પોતાની માતા ગુમાવી દીધી છે. રિદ્ધિમા કપૂરે દાદીના નિધન પર શોક વ્યક્ત કરતા ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે. સાથે કેપ્શનમાં લખ્યુ - ‘હું તમને હંમેશા પ્રેમ કરીશ દાદી. RIP.'

બોલિવુડમાં શોકની લહેર

કૃષ્ણા કપૂરના નિધન પર બોલિવુડમાં શોકની લહેર છે. ઘણી ફિલ્મી હસ્તીઓએ તેમના નિધન પર શોક જતાવતા ટ્વિટ કર્યુ અને તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી છે.

આ પણ વાંચોઃ જૂઠી છે તનુશ્રી, બિગ બૉસમાં આવવા માટે કરે છે નાટકઃ રાખી સાવંતઆ પણ વાંચોઃ જૂઠી છે તનુશ્રી, બિગ બૉસમાં આવવા માટે કરે છે નાટકઃ રાખી સાવંત

English summary
Late actor Raj Kapoor's wife Krishna Raj Kapoor died on Monday, family members confirmed. She was 87.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X