કરીના-રણબીરના દાદી કૃષ્ણા રાજ કપૂરનું નિધન, શોકમાં બોલિવુડ
એક દુખદ સમાચાર બોલિવુડથી આવી રહ્યા છે. જાણીતા દિવંગત અભિનેતા રાજકપૂરના પત્ની કૃષ્ણા રાજ કપૂરનું આજે સવારે 4 વાગે નિધન થઈ ગયુ છે.
એક દુખદ સમાચાર બોલિવુડથી આવી રહ્યા છે. જાણીતા દિવંગત અભિનેતા રાજકપૂરના પત્ની કૃષ્ણા રાજ કપૂરનું આજે સવારે 4 વાગે નિધન થઈ ગયુ છે. તેઓ 87 વર્ષના હતા અને શ્વાસની બિમારીથી ત્રસ્ત હતા. તેમની છબી એક મોહક સ્મિત ધરાવતી મહિલાની હતી જેણે પરિવારને જોડી રાખ્યો હતો.
1946 માં કૃષ્ણાના લગ્ન રાજકપૂર સાથે થયા
વર્ષ 1946 માં તેમના લગ્ન રાજકપૂર સાથે થયા હતા. તેના પાંચ બાળકો રણધીર, ઋષિ, રાજીવ, રીમા અને રીતુ છે. તે કરિશ્મા, રણબીર, રિદ્ધિમા કપૂરના દાદી હતા.
આ પણ વાંચોઃ VIDEO: તનુશ્રી દત્તા પર હુમલાનો વીડિયો આવ્યો સામે, જોઈને ધ્રૂજી જશો તમે
|
પુત્ર રણધીર કપૂરે આપી માતાના નિધનની જાણકારી
પોતાની માતાના નિધનની જાણકારી આપતા પુત્ર રણધીર કપૂરે ટ્વીટ કર્યુ કે મને જણાવતા દુખ થાય છે કે મે આજે સવારે પોતાની માતા ગુમાવી દીધી છે. રિદ્ધિમા કપૂરે દાદીના નિધન પર શોક વ્યક્ત કરતા ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે. સાથે કેપ્શનમાં લખ્યુ - ‘હું તમને હંમેશા પ્રેમ કરીશ દાદી. RIP.'
|
બોલિવુડમાં શોકની લહેર
કૃષ્ણા કપૂરના નિધન પર બોલિવુડમાં શોકની લહેર છે. ઘણી ફિલ્મી હસ્તીઓએ તેમના નિધન પર શોક જતાવતા ટ્વિટ કર્યુ અને તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી છે.
આ પણ વાંચોઃ જૂઠી છે તનુશ્રી, બિગ બૉસમાં આવવા માટે કરે છે નાટકઃ રાખી સાવંત
If Raj Kapoor was an institution in film making, Krishnaji was an institution in living life.
— Aamir Khan (@aamir_khan) 1 October 2018
A very sad loss to all of us.
My love and warmth to Randhirji, Rishiji, Chimpuji, Reema, Rituji and everyone in the family.
We love you Krishnaji.
I am so sorry to hear of the passing of #KrishnaRajKapoor The few times I interacted with her were so memorable; she was an incredible personality full of life and passion and with never a hair out place! She will be missed greatly. My deepest condolences to the family.
— Soha Ali Khan (@sakpataudi) 1 October 2018