મણિકર્ણિકા: મજૂરોએ વિરોધ કર્યો, ફિલ્મની શૂટિંગ અટકી
કંગના રાનૌટની ફિલ્મ મણિકર્ણિકા અંગે સમસ્યાઓ હવે સામાન્ય વાત બની ચુકી છે કારણકે આ ફિલ્મ અંગે કોઈને કોઈ પ્રકારના વિવાદ સામે આવી રહ્યા છે.
કંગના રાનૌટની ફિલ્મ મણિકર્ણિકા અંગે સમસ્યાઓ હવે સામાન્ય વાત બની ચુકી છે કારણકે આ ફિલ્મ અંગે કોઈને કોઈ પ્રકારના વિવાદ સામે આવી રહ્યા છે. હવે એક નવો વિવાદ સામે આવ્યો છે, જેને કારણે ફિલ્મનું શૂટિંગ અટકી પડ્યું છે. આપણે જણાવી દઈએ કે મજૂરો અને ટેક્નિશિયનને બાકી નીકળતા પૈસા નહીં આપવાને કારણે કંગના રાનૌટની ફિલ્મ મણિકર્ણિકાનું શૂટિંગ ફેડરેશન અને મજદૂર યુનિયન ઘ્વારા રોકી દેવામાં આવ્યું છે.
તેમનું કહેવું છે કે જ્યાં સુધી તેમને બાકી નીકળતા પૈસા નહીં મળે ત્યાં સુધી તેઓ કામ નહીં કરે. ખબર આવી રહી છે કે કુલ 1.5 કરોડ રૂપિયા આ મજૂરોને આપવાના છે.
આ પણ વાંચો: વિકાસ બહેલે અનુરાગ કશ્યપ અને વિક્રમાદિત્ય પર માનહાનિનો કેસ કર્યો
તેમને છેલ્લા ઘણા સમયથી પૈસા બાબતે લટકાવવામાં આવી રહ્યા હતા. આખરે યુનિયને મજબુર થઈને આ નિર્ણય લીધો. મજૂરોનું કહેવું છે કે આ બાબતે ઘણીવાર તેમને નિર્માતા કમલ જૈન સાથે વાત કરી અને કંગના રાનૌટ સુધી પણ વાત પહોંચાડવામાં આવી પરંતુ કોઈ ઉકેલ લાવવામાં નથી આવ્યો. હવે ફિલ્મનું શૂટિંગ ત્યારે જ શરુ થશે જયારે મજૂરોને તેમનું વળતળ આપવામાં આવશે. મણિકર્ણિકા ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થવા જઈ રહી છે, પરંતુ ફિલ્મમાં કોઈને કોઈ અડચણ આવી રહી છે.
શૂટિંગ રોકવામાં આવી
આ પહેલા પણ ઘણીવાર ફિલ્મની શૂટિંગ અટકી ચુકી હતી. પરંતુ હવે મજૂરો ઘ્વારા નિર્ણય કરવામાં આવો છે કે પેમેન્ટ પછી જ કામ કરવામાં આવશે.
કંગનાની સૌથી મોટી ફિલ્મ
આ ફિલ્મ કંગના રાનૌતની સૌથી મોટી ફિલ્મ છે અને ખુબ જ મોટા બજેટ સાથે બનાવવામાં આવી રહી છે.
સોનુ સૂદ સાથે વિવાદ
હાલમાં જ અભિનેતા સોનુ સૂદ સાથે વિવાદની ખબર આવી હતી અને તેઓ ત્યારપછી ફિલ્મની શૂટિંગ છોડીને પણ ચાલ્યા ગયા હતા.
કંગનાને કારણે વિવાદ
ખબર આવી હતી કે કંગના રાનૌટ પોતાની રીતે કામ કરી રહી હતી અને નિર્દેશિકા પણ બની જતી હતી. આ કારણે સોનુ સૂદ ફિલ્મથી અલગ થઇ ગયા.
રાની લક્ષ્મીબાઈ પર ફિલ્મ
આ ફિલ્મ ઝાંસીની રાની લક્ષ્મીબાઈના જીવન પર આધારિત છે અને તેમની વીરતાનો ઇતિહાસ દર્શાવવામાં આવશે.
એક એક સીન શાનદાર
આ ફિલ્મના સીન અને લડાઈના સીન પર ખુબ જ મહેનત કરવામાં આવી રહી છે. લોકોનું માનવું છે કે આ ફિલ્મ ખુબ જ સારી કમાણી કરશે.