For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આશિકી 2ની સફળતાનો શ્રેય પત્ની ઉદિતાને આપતાં મોહિત

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 1 મે : બૉલીવુડ ફિલ્મકાર મોહિત સુરી કહે છે કે આશિકી 2 ફિલ્મમાં જે આદર્શ પ્રણય-કથાનું ચિત્રણ તેઓ કરી શક્યાં છે, તેની પ્રેરણા તેમના પત્ની ઉદિતા ગોસ્વામીએ આપી છે. તેથી જ ફિલ્મના સફળતાનો સમગ્ર શ્રેય તેમની ખૂબ જ પ્રેમ કરનાર પત્નીને ફાળે જાય છે. ગત શુક્રવારે રિલીઝ થયેલી ફિલ્મ આશિકી 2એ પ્રથમ ત્રણ દિવસમાં જ 20 કરોડની કમાણી કરી છે.

mohit-udita

મોહિત સુરીએ જણાવ્યું - લોકો કહે છે કે જે પ્રકારનો આદર્શ પ્રેમ મેં ફિલ્મમાં દર્શાવ્યો છે, તે આજે હકીકતમાં અસ્તિત્વમાં જ નથી. હું તેમને કહુ છું, મારા ઘરે આવી જુઓ, એવો જ પ્રેમ કરનાર કોઇક મારા જીવનમાં છે. ઉદિતા વગર શરતે મારો ખ્યાલ રાખે છે, મને પ્રેમ કરે છે. હું ફિલ્મનો સમગ્ર શ્રેય ઉદિતાને આપુ છું.

મોહિતે જણાવ્યું - વીતેલું વર્ષ તેમના માટે ખૂબ જ ખરાબ રહ્યું. લોકોને લાગતું હતું કે હું નવા કલાકારો સાથે ફિલ્મ નથી બનાવી શકતો. મારી ફિલ્મ જોવા દર્શકો થિયેટર નહીં જાય, પણ હું આ વખતે અડગ હતો કે મારી ફિલ્મના મુખ્ય પાત્રો આદિત્ય રૉય કપૂર અને શ્રદ્ધા કપૂર જ રહેશે. ફિલ્મના સ્ક્રિપ્ટ લેખક શગૂફ્તા રફીક તેમજ મેં આદિત્ય-શ્રદ્ધાની પસંદગી કરી હતી.

રસપ્રદ વાત એ છે કે મોહિત સુરીએ શ્રદ્ધા કપૂરને અગાઉ પણ પોતાની ફિલ્મની ઑફર કરી હતી, પણ તેમણે ઇનકાર કર્યો હતો. સુરી કહે છે - અમે આશિકી 2 ફિલ્મના મુખ્ય કલાકારો માટે નવા ચહેરા લેવાની યોજના બનાવી હતી, પરંતુ અનેક ઑડિયંસ લીધા બાદ પણ કોઈ રાસ ન આવ્યું. સુરી અગાઉ કલયુગ તથા મર્ડર 2 જેવી ફિલ્મો બનાવી ચુક્યાં છે.

English summary
Mohit Suri says that the "ideal love" that he has presented in "Aashiqui 2", is inspired by the unconditional love that his wife Udita Goswami showers on him.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X