Oh Shad! ઉદયની નહીં બને નરગિસ, થઈ ગયું બ્રેક-અપ!
મુંબઈ, 23 જૂન : લ્યો, તે તમામ અફવાઓ ઉપર હવે પૂર્ણવિરામ મૂકાઈ ગયું છે કે જેમાં કહેવાતુ હતું કે યશ ચોપરાના નાના પુત્ર ઉદય ચોપરા તેમજ સેક્સી અભિનેત્રી નરગિસ ફકરી ટુંકમાં જ પરણી જવાનાં છે. મિડ ડે મિલમાં છપાયેલા સમાચાર મુજબ છેલ્લા બે વરસથી ડેટિંગ કરતાં ઉદય-નરગિસે જુદા થવાનો નિર્ણય કર્યો છે, કારણ કે નરગિસ ફખરી હાલ લગ્ન કરવાના મૂડમાં નથી અને ઉદય તેમની પાસે લગ્ન અંગે એક કમિટમેંટ ઇચ્છતા હતાં.
જુઓ : ઉદય-નરગિસનું ન્યુ ઈયર સેલિબ્રેશન
નરગિસ ફખરી આજકાલ સલમાન ખાન અભિનીત કિક ફિલ્મ માટે આયટમ નંબરમાં વ્યસ્ત છે અને તેમની પાસે ફિલ્મી દુનિયાનું ઘણુ કામ પણ છે. તેથી નરગિસ પોતાનો તમામ સમય કૅરિયરને આપવા માંગે છે. એટલે જ તેમણે લગ્ન કરવાનો નન્નો ભણ્યો છે અને ઉદય લગ્ન વગરના આ સંબંધને વધુ આગળ લઈ જવાના મૂડમાં નહોતાં. તેથી ઉદયે નરગિસને પડતા મૂક્યાં છે. તાજેતરમાં જ રાણી મુખર્જી અને આદિત્ય ચોપરાના લગ્ન બાદ ઉદય-નરગિસના લગ્નની અટકળો વધુ તેજ બની હતી.
ચાલો તસવીરો સાથે જાણીએ ઉદય-નરગિસ વચ્ચેની Inside Story :
ઉદયની બૉલીવુડમાંથી વિદાય
ઉદય ચોપરાએ બૉલીવુડમાં ધૂમ સિરીઝ ઉપરાંત કોઈ પણ ફિલ્મમાં નોંધનીય કામ કર્યુ નથી અને એટલે જ તેઓએ બૉલીવુડ ફિલ્મોથી તોબા કરી લીધી છે.
હૉલીવુડમાં સક્રિય ઉદય
ઉદય ચોપરા હાલ હૉલીવુડમાં સક્રિય છે. તેમની આવનાર ફિલ્મ ગ્રેસ ઑફ મોનાકો માટે તેઓ વ્યસ્ત છે.
સફળતા બાદ લગ્ન
ઉદયે જાહેરાત કરી હતી કે જો તેમની આ હૉલીવુડ ફિલ્મ એક ડૉલરની પણ કમાણી કરી લેશે, તો તેઓ લગ્ન કરી લેશે.
સિંગલ છું
ઉદયે કહ્યું છે કે તેઓ હાલ સિંગલ છે અને પોતાનું તમામ ધ્યાન પોતાની આવનાર હૉલીવુડ ફિલ્મ ઉપર જ કેન્દ્રિત રાખવા માંગે છે.
તસવીરો થઈ વાયરલ
ઉદય ચોપરા અને નરગિસ ફખરીની બિકિની વાળી તસવીરો નવા વર્ષે વાયરલ થઈ હતી અને ત્યારથી જ બંને વચ્ચેના સંબંધો અંગે ચર્ચાઓ ગરમ થઈ ગઈ હતી.
ઉદયનો વારો હતો
ગત એપ્રિલમાં મોટા ભાઈ આદિત્ય ચોપરાએ રાણી મુખર્જી સાથે લગ્ન કર્યા હતાં અને હવે શક્યતાઓ વધી ગઈ હતી કે ચોપરા ખાનદાનમાં પુનઃ શરણાઇઓ વાગશે અને ઉદય ચોપરા પણ નરગિસ ફખરીને પરણી જશે.
નરગિસ કૅરિયરમાં વ્યસ્ત
નરગિસ ફખરી હાલ કૅરિયરમાં વ્યસ્ત છે અને એટલે જ તેઓ તરત જ લગ્ન કરવાના મૂડમાં નથી.
શૉકિંગ ન્યુઝ
ઉદય-નરગિસના લગ્નની અટકળો વચ્ચે આજે શૉકિંગ ન્યુઝ આવ્યાં કે બંને વચ્ચે બ્રેક-અપ થઈ ગયું છે અને કદાચ આ જોડી હવે ક્યારેય નહીં બને.