For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આસારામ બનવું સરળ નથી : અર્જુન રામપાલ

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 26 સપ્ટેમ્બર : પ્રકાશ ઝાના ફૅવરિટ સ્ટાર્સમાંના એક છે અર્જુન રામપાલ. રાજનીતિ તથા સત્યાગ્રહમાં પોતાની મહત્વનો રોલ કરનાર અર્જુન રામપાલ પુનઃ એક વાર પ્રકાશ ઝાની ફિલ્મ સત્સંગમાં કામ કરવા જઈ રહ્યાં છે. ફિલ્મમાં ઝાની જૂની ટીમ જ નજરે પડનાર છે એટલે કે અજય દેવગણ, અર્જુન રામપાલ અને મનોજ બાજપાઈ. ફિલ્મ સત્સંગ આસારામના જીવન પર આધારિત છે.

લોકોનું કહેવું છે કે પ્રકાશ ઝા તો ફિલ્મમાં આસારામનો રોલ પોતાના ખાસમખાસ અજય દેવગણને આપશે, તો કોઇક કહેછે કે આસારામનો રોલ નેગેટિવ રોલ છે અને તે મનોજ બાજપાઈને જ અપાશે, કારણ કે રાજનીતિ, આરક્ષણ તથા સત્યાગ્રહ ત્રણે ફિલ્મોમાં વિલનનો રોલ મનોજ બાજપાઈએ ભજવ્યો છે. તો કોઇક કહે છે કે આ વખતે આ રોલ અર્જુન રામપાલને અપાશે.

હાલ જ્યારે એક કાર્યક્રમ દરમિયાન અર્જુનને સત્સંગ ફિલ્મ વિશે પૂછવામાં આવ્યું, તો તેમણે જણાવ્યું - મને પણ હજી હમણા જ ખબરી પડી છે. આના કરતાં વધુ કંઈ જાણતો નથી. તેમણે મજાકમાં જણાવ્યું - મને લાગે છે કે આસારામ બાપૂનો રોલ ભજવવા માટે મારે ઘણી મહેનત કરવી પડશે.

નોંધનીય છે કે પોતાની જાતને આધ્યાત્મિક ગુરુ કહેડાવતા આસારામ હાલ જોધપુરની જેલમાં બંધ છે. તેમની સામે 15 વરસની કિશોરી સાથે રેપ કરવાનો આરોપ છે.

English summary
Director Prakash Jha has reportedly decided to make a film called "Satsang", which is said to be inspired by spiritual guru Asaram Bapu.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X