એ સ્ત્રીએ મારી જિંદગી ખતમ કરી દીધી, દારૂ પીવે છે, બીજા પુરુષો સાથે છે સંબંધ - મોટો ખુલાસો!
એક વર્તમાનપત્ર સાથે કરેલી વાતચીતમાં રઘુવીર યાદવે તેના બધા આરોપોને ખોટા ગણાવ્યા છે. સાથે રોશની અચરેજા અને નંદિતા દાસે પણ પોતાનો પક્ષ રાખ્યો છે. ચાલો જાણીએ તેમણે શું કહ્યુ છે...
એક્ટર રઘુવીર યાદવ પર તેમની પત્ની પૂર્ણિમા ખરગાએ બીજી મહિલાઓ સાથે સંબંધ રાખવાનો આરોપ લગાવ્યો છે. આ સાથે તેમનુ નામ નંદિતા દાસ અને સંજય મિશ્રાની પત્ની રોશની અચરેજા સાથે જોડ્યુ છે. એક ઈન્ટરવ્યુમાં પૂર્ણિમાએ ખુલીને રઘુવીર યાદવના બધા બહારના સંબંધો પર વાત કરી છે. તમને જણાવી દઈએ કે બંને છેલ્લા 25 વર્ષથી અલગ રહી રહ્યા છે. પૂર્ણિમાએ ડિવોર્સ સાથે 1 લાખ રૂપિયાના ઈંટર્મ મેઈન્ટેનન્સ અને 10 કરોડની એલિમનીની માંગ કરી છે.
રઘુવીર યાદવે તેના બધા આરોપોને ખોટા ગણાવ્યા
આ વિશે રઘુવીર યાદવ ખૂબ જ હેરાન છે. એક વર્તમાનપત્ર સાથે કરેલી વાતચીતમાં રઘુવીર યાદવે તેના બધા આરોપોને ખોટા ગણાવ્યા છે. સાથે રોશની અચરેજા અને નંદિતા દાસે પણ પોતાનો પક્ષ રાખ્યો છે. ચાલો જાણીએ તેમણે શું કહ્યુ છે...
દુઃખી મહિલા કહીને ફસાવી લીધો
રઘુવીર યાદવે દૈનિક ભાસ્કરને રિપોર્ટમાં કહ્યુ કે 31 વર્ષ પહેલા મે તેની સાથે લગ્ન કરી લીધા. મને લાગ્યુ દુઃખી સ્ત્રી છે અને હું ફસાઈ ગયો. મને એ જણાવવામાં આવ્યુ કે આ ગ્રેજ્યુએટ મહિલા છે. સાત વર્ષ બિરજૂ મહારાજ સાથે ડાંસ શીખ્યો છે. બાદમાં ખબર પડી કે સાતમુ ફેલ છે.
સેક્સ્યુઅલ હેરેસમેન્ટનો કેસ
તે આગળ કહે છે કે 25 વર્ષ અમે અલગ રહ્યા છે અને હવે મારા પર સેક્સ્યુઅલ હેરેસમેન્ટનો કેસ કરી રહી છે. મે નંદિતા દાસ એક ફિલ્મ કરી અને હવે એ બિચારીનુ નામ પણ ઢસડી લીધુ. 15 વર્ષથી હું એને દર મહિને 40 હજાર રૂપિયા આપી રહ્યો છુ.
10 કરોડ ક્યાંથી લાવીશ
રઘુવીરે સ્પષ્ટ રીતે કહ્યુ કે મારુ બેંક સ્ટેટમેન્ટ પણ તેની પાસે છે. રોશની(સંજય મિશ્રાની પત્ની)એ તો મારી જિંદગી બચાવી છે. આ સ્ત્રી મને છોડીને જતી રહી તો રોશની મારી જિંદગીમાં આવી. 2003ની વાત છે, ત્યારે હું બેડ પર પડ્યો હતો. 10 કરોડ ક્યાંથી લાવીશ જે એ ડિવોર્સ પર માંગી રહી છે. તેના પણ ઘણા પુરુષો સાથે સંબંધ છે. તેને દારૂની લત છે. મને ગામડિયો કહે છે.
એ લેડીને પૂછો કે
સંજય મિશ્રાની પત્ની રોશની અચરેજાએ આના પર દૈનિક ભાસ્કર સાથે વાતચીતમાં કહ્યુ કે સંજય મિશ્રા અને મારા ઘણા સમય પહેલા ડિવોર્સ થઈ ચૂક્યા છે. અમારા અલગ થવા પર હવે આ વાત ક્યાંથી આવી? એ લેડીને પૂછો કે તેની જિંદગીમાં કોણ છે? રઘુવીરજી ઑટોબાયોગ્રાફી લખી રહ્યા છે એમાં આખી કહાની આવશે.
હા, હું રઘુવીર સાથે છુ
રોશનીએ આગળ કહ્યુ કે હું રઘુવીર સાથે છુ અને તેમનુ કામ પણ જોઈ રહી છુ. નંદિતા દાસનુ નામ આ બધામાં આવી રહ્યુ છે તો તેમને જ પૂછો. મને નથી લાગતુ કે હું જિંદગીના ખરાબ સમયમાં ફસાયેલ વ્યક્તિની મદદ કરીને કંઈ ખોટુ કરી રહી છે. રઘુવીરનુ નામ ખરાબ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે.
મને સવાલ પૂછવામાં આવશે
નંદિતા દાસે પોતાની સફાઈમાં કહ્યુ કે હું આવા મૂર્ખતાપૂર્ણ આરોપો પર કંઈ કહેવા નથી માંગતી. હું આવી આશા નહોતી રાખતી કે કોઈ મારા પર કોઈ પણ પ્રકારનો આરોપ લગાવશે અને મને આ અંગે સવાલ પૂછવામાં આવશે.
આ પણ વાંચોઃ અંડરગાર્મેન્ટ પહેરતી વખતે મહિલાઓએ આ ભૂલો કદી ન કરવી જોઈએ