દેવ આનંદથી પ્રેરાઈ લુટેરા બન્યાં રણવીર સિંહ
મુંબઈ, 31 મે : રણવીર સિંહ કે જેઓ અત્યાર સુધી પોતાની ફિલ્મોમાં પોતાની બૉડી વડે જ પોતાને વ્યક્ત કરતાં રહ્યાં છે, તેઓ પોતાની પ્રથમ ફિલ્મ બૅન્ડ બાજા બારાતમાં એક ખૂબ જ એનર્જીથી ભરપૂર રોલમાં હતાં. રણવીર સિંહે જ્યારે તાજેતરમાં જ વિક્રમાદિત્ય મોટવાણીની લુટેરા ફિલ્મ સાઇન કરી, તો રણવીર સિંહે પોતાની અંદર કેટલાંક પરિવર્તનની જરૂરિયાત અનુભવી.
તેથી રણવીર સિંહે દેવ આનંદજીની ફિલમો જોઈ તેમનાથી પ્રેરણા લીધી. લુટેરા એક પીરિયડ ફિલ્મ છે કે જેમાં રણવીર સિંહે પોતાની આંખો વડે લાગણી વ્યક્ત કરવાની હતી. રણવીર સિંહે ફિલ્મ મુજબ પોતાની જાતને બદલવાના પૂરા પ્રયત્નો કર્યાં.
રણવીર સિંહે દેવ આનંદ ફિલ્મો જોઈ પોતાનામાં પરિવર્તનો કર્યાં. દેવ આનંદ પોતાના સમયમાં એકમાત્ર એવા એક્ટર હતાં કે જેઓ પોતાની આંખો વડે લાગણીઓ વ્યક્ત કરતા હતાં. મોટવાણી ઇચ્છતા હતાં કે રણવીર દેવ પાસેથી શીખે અને તેથી તેમણે રણવીર સિંહને દેવ આનંદની ફિલ્મો જોવા કહ્યું. રણવીરે એવું જ કર્યું.
નોંધનીય છે કે લુટેરા એક પ્રણય-કથા છે અને તે દર્શકોને અનેક અહેસાસો ફીલ કરાવશે. ફિલ્મમાં સોનાક્ષી સિન્હા હીરોઇન છે. પ્રોમો જોઈ લાગે છે કે ફિલ્મ પુનઃ એક વાર ઇતિહાસ દોહરાવશે.