સારવાર માટે અમેરિકા રવાના થયા ઋષિ કપૂર, કહ્યુ - જલ્દી પાછો આવીશ
ઈરફાન ખાન અને સોનાલી બેન્દ્રે બાદ હવે ઋષિ કપૂર પણ પોતાની સારવાર માટે વિદેશ રવાના થઈ ગયા છે.
ઈરફાન ખાન અને સોનાલી બેન્દ્રે બાદ હવે ઋષિ કપૂર પણ પોતાની સારવાર માટે વિદેશ રવાના થઈ ગયા છે. ઋષિ કપૂરે પોતાની સારવારની જાણકારી પોતે જ ટ્વિટર પર આપી. તેમણે ટ્વિટર પર લખ્યુ કે તે થોડા સમય માટે અમેરિકા જઈ રહ્યા છે અને તેનું કારણ મેડીકલ ટ્રીટમેન્ટ છે. ઋષિ કપૂરે પોતાના ફેન્સને પરેશાન ન થવા કહ્યુ છે અને લખ્યુ છે કે તે જલ્દી પાછા આવશે.
ટ્વિટર દ્વ્રારા ફેન્સને આપી જાણકારી
ઋષિ કપૂર પોતાની સારવાર માટે અમેરિકા ગયા છે. 66 વર્ષીય અભિનેતા કઈ બિમારી સામે લડી રહ્યા છે તેની જાણકારી હજુ સુધી મળી શકી નથી. તેમણે શનિવારે ટ્વિટ કરીને પોતાના ફેન્સને અમેરિકા જઈને સારવાર કરાવવાની જાણકારી આપી. ઋષિ કપૂરે ટ્વિટર પર લખ્યુ, ‘હું અમેરિકા જઈને સારવાર કરાવવા માટે થોડા દિવસની રજા લઈ રહ્યો છુ. હું શુભચિંતકોને આગ્રહ કરુ છુ કે તે પરેશાન ન થાય અને કોઈ પ્રકારની અફવાઓ ન ઉડાવે.'
આ પણ વાંચોઃ કરીના-રણબીરના દાદી કૃષ્ણા રાજ કપૂરનું નિધન, શોકમાં બોલિવુડ
|
નથી રહ્યા ઋષિ કપૂરની માતા, આજે થયુ નિધન
ઋષિ કપૂરે આગળ લખ્યુ, ‘ફિલ્મોમાં રોવા-ધોવાને 45 વર્ષોથી વધુ સમય થઈ ગયો છે. તમારા લોકોના પ્રેમ સાથે, હું જલ્દી પાછો આવીશ.' કહેવાય છે કે ઋષિ કપૂર શનિવારે સાંજે જ પત્ની નીતુ કપૂર અને પુત્ર રણબીર સાથે અમેરિકા રવાના થયા છે. ઋષિ શનિવારે અમેરિકા માટે નીકળ્યા અને સોમવારે સવારે તેમની મા કૃષ્ણા રાજ કપૂરનું નિધન થઈ ગયુ. જાણીતી દિવગંત અભિનેતા રાજ કપૂરની પત્ની કૃષ્ણા રાજ કપૂરનું સોમવારે સવારે 4 વાગે નિધન થઈ ગયુ.
બોલિવુડમાં શોકની લહેર
તેમની ઉંમર 87 વર્ષ હતી અને તે શ્વાસની બિમારીથી પિડાતા હતા. કૃષ્ણા મલ્હોત્રાએ વર્ષ 1946 માં રાજકપૂર સાથે લગ્ન કર્યા હતા. તેમના પાંચ બાળકો રણધીર, ઋષિ, રાજીવ, રીમા, રીતુ છે. વળી, તે કરિશ્મા-કરીના, રણબીર-રિદ્ધિમા કપૂરના દાદી હતા. કૃષ્ણા કપૂરના નિધન પર બોલિવુડમાં શોકની લહેર છે. ઘણી ફિલ્મી હસ્તીઓએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
આ પણ વાંચોઃ VIDEO: તનુશ્રી દત્તા પર હુમલાનો વીડિયો આવ્યો સામે, જોઈને ધ્રૂજી જશો તમે