તો આ વખતે સલમાનને ઘેર નહીં આવે ગણપતિ બાપ્પા?
મુંબઈ, 23 ઑગસ્ટ : સલમાન ખાન કે જેમના માટે ખુદા, ભગવાન અને ગૉડ.. સૌ કોઈ એક સરખા છે. એટલે જ તો તેમના બાન્દ્રા હાઉસમાં જેમ ધામધૂમથી ઈદની ઉજવણી કરવામાં આવે છે, તેટલા જ ધામધૂમથી ગણપતિ બાપ્પા મોરયા પણ કહેવામાં આવે છે, પણ આ વખતે સલમાનના બાન્દ્રા હાઉસમાં ગણપતિ બાપ્પાનો જય જયકાર નહીં સંભળાય એટલે કે સલમાનના ઘરે ગણપતિ બાપ્પાની પધારમણી નહીં થાય.
નહીં... નહીં... કંઈક આડુ-અવડું ના વિચારતાં. અમે એમ જ કહી રહ્યાં છીએ કે સલમાન ખાનના બાન્દ્રા હાઉસમાં ગણપતિ બાપ્પાની પધારમણી નથી થવાની, પણ આ તો બૉલીવુડ દબંગ સલમાન ખાન છે, તેમને વળી ક્યાં એક જ ઘર છે. આ વખતે સલમાન ખાનના પનવેલ ફાર્મ હાઉસ વાળા ઘરે ગણપતિ બાપ્પાની સ્થાપના કરવામાં આવશે, કારણ કે ગ્લૅક્સી બાન્દ્રા ઍપાર્ટમેંટ વાળા ઘરમાં રંગરોગાન ચાલી રહ્યું છે.
નોંધનીય પોતાની પ્રિય બહેનો અલવીરા તથા અર્પિતા સાથે છેલ્લા 12 વર્ષોથી સલમાન ખાન પોતાના ઘરે ગણપતિ બાપ્પાની સ્થાપના કરે છે, પણ આ વખતે એવું નહીં થાય. ખેર સલમાન ખાન અને તેમનો આખો પરિવાર વિઘ્નહર્તાને પોતાના ઘરે લાવવાની પુરજોશ તૈયારીઓ કરી રહ્યાં છે. આ વખતે પનવેલ ખાતેનો ફાર્મ હાઉસ ગણપતિ બાપ્પા મોરયાના જયકારથી ગુંજાયમાન થશે.