સલમાન થયા FANSથી નારાજ, ડિલિટ કર્યા આ ટ્વિટ
આ વાત કેટલાક મહિના પહેલાની છે. 19 ડિસેમ્બરે પેશાવર સ્કૂલ અટેક પછી સલમાન ખાને એક ટ્વીટ કર્યું હતું અને કહ્યું હતું કે કોઇ નિર્દોષને મારવું એ સૌથી મોટું પાપ છે. પણ તે કદાચ ભૂલી ગયા છે કે જાણે અજાણે કદાચ તે પણ આવું કંઇક કરી ચૂક્યા હોય?
બસ આજ મુદ્દે સલમાન ખાનને તેમના જ ફેન્સે આડે હાથ લીધા. હીટ એન્ડ રન કેસ મામલે સલમાન ખાનને તેમના ફેન્સે પરેશાન કરી દીધા. જેને કારણે સલમાને હાલ તેમના આ તમામ ટ્વિટ ડિલિટ કર્યા. તો ચલો અમે તમને બતાવીએ આ કયા ટ્વિટ હતા જેને સલમાને ડિલીટ કર્યા. જુઓ આ સ્લાઇડર.
માનવતાનો અંત
સલમાને પોતાની પહેલી ટ્વિટમાં લખ્યું હતું કે એક નિર્દોષને મારવું તે આખી માનવજાતને મારવા સમાન છે.
સૌથી મોટું પાપ
સૌથી મોટું પાપ કોઇ નિર્દોષને મારવાનું છે. તેના આ ટ્વિટમાં હિટ એન્ડ રન કેસ ફરી ચાલુ થતા લોકો તેના ટ્વિટના જવાબ કહી દીધું તે શું કર્યું હતું યાદ નથી. તે પણ કોઇ નિર્દોષ પર ગાડી ચલાવી હતી.
વુદ્ધને મારવું છે પાપ
બાળકો,
સ્ત્રીઓ
પર
વુદ્ધ
લોકો
પર
યુદ્ધ
વખતે
પણ
હાથ
ઉઠાવવો
અયોગ્ય
છે.
તે અમારા જેવા નથી
સલમાનના આ ટ્વિટ પર લોકોએ ભારે હોહાપો કર્યો હતો.
જેહાદ
સલમાને જેહાદ મામલે પણ પ્રતિક્રિયા આપી હતી કે લોકો આ શબ્દનું ખોટું અર્થધટન કરે છે.
કુરાન વાંચો
સલમાને ધર્મના નામ પર લોકોને મારનારોને સવાલ પૂછ્યો હતો કે શું તેમને કુરાન વાંચી છે? કારણ કે જો તેમને કુરાન વાંચી હોત તો તે આવું પાપ કદી ના કરતા.
ફસાદ કે જેહાદ
સલમાન ખાને આ તમામ ટ્વિટ પેશાવરમાં સ્કૂલના બાળકો પર થયેલા આંતકી હુમલા વખતે લખી હતી. પણ હાલ હીટ એન્ડ રન કેસ શરૂ થતા લોકો તેમની આ મામલે ઝાટકણી કાઢી છે. જો કે હાલ તો સલમાન આ તમામ ટ્વિટને ડિલિટ કરી ચૂક્યા છે.