મૈ ઐશ્વર્યા પર ક્યારે પણ હાથ નથી ઉઠાવ્યો - સલમાન ખાન
સલમાન ખાન અને ઐશ્વર્યા ફરી એક વાર ખબરોમાં છે અને તેનું કારણ છે, સલમાન ખાન પર આવેલી નવી કિતાબ જેનું નામ છે બીંગ સલમાન. આ પુસ્તકમાં લખવા માં આવ્યું છે કે સલમાન ખાનને હમેશા લોકોએ ખોટી રીતે રજુ કર્યો છે.
આ પુસ્તકમાં સલમાન ખાનના સંબંધ વિશે પણ ખુલીને ચર્ચા કરવામાં આવી છે. સલમાન ખાન અને ઐશ્વર્યા રાઈના સંબધ માટે લખ્યું છે કે બંને વચ્ચે શું થયું હતું તે કોઈને પણ ખબર નથી એટલે ઐશ્વર્યા રાયે જે કર્યું તે બરાબર કર્યું આવું કેહવું ખોટું હશે.
સલમાન ખાનની વાત કર્યે તો એક ઇંટરવ્યૂમાં તેને ઐશ્વર્યા અને તેના સંબધ વિશે ખુલીને વાત કરી હતી અને બિલકુલ એ રીતે વાત કરી હતી જે આમ સંબધમાં થાય છે. સલમાન ખાનનો પક્ષ જાણ્યા વિના તેના વિશે વાત કરવી ખોટું છે આવું આ પુસ્તકમાં લખવામાં આવ્યું છે.
જાણો આ 10 વાત જે સલમાને ઇંટરવ્યૂમાં તેના અને ઐશ્વર્યા માટે ખોલ્યા હતા....
ક્યારે પણ નથી ઉઠાવ્યો હાથ
સલમાને ઇંટરવ્યૂ સાફ સાફ કહ્યું છે કે તેને ઐશ્વર્યા પર ક્યારે પણ હાથ નથી ઉઠાવ્યો અને જો તે આવું કહે છે તો તે ખોટું છે.
કવિતા થોડી વાંચશે ઐશ
જયારે સલમાનને પૂછવામાં આવ્યું કે ઐશ્વર્યા રાયે જ કહ્યું છે કે સલમાને હાથ ઉઠાવ્યો હતો તો તેના જવાબમાં સલમાને કહ્યું કે કવિતા થોડી વાંચશે ઐશ મારા માટે.
એક જ માણસને માર્યો હતો
સલમાને કહ્યું કે તેને ખાલી એક જ માણસને માર્યો છે અને તે સુભાસ ઘાઈ હતા. કેમ કે તેમને મને પરેશાન કરી નાખ્યો હતો પરંતુ બાદ મેં તેની માફી પણ માંગી હતી.
ઐશના પિતા સાચા હતા
સલમાને માન્યું કે ઐશ્વર્યાના પિતા સલમાન વિરૃધ રિપોર્ટ કરવામાં સાચા હતા.
કિસ્સો સાચો હતો
ઐશ્વર્યાના ઘરની બહાર રાતે 2 વાગ્યે હંગામો કરવાવાળી વાત સાચી હતી.
દરેક સંબધમાં ઉતાર ચડાવ
સલમાને કહ્યું કે દરેક સંબધમાં ઉતાર ચડાવ આવે છે.
ઐશના પિતા માટે
સલમાને કહ્યું કે હું એ વાતની કદર કરું છુ કે તેના પિતાને એટલું ખરું ખોટું કહ્યા પછી પણ ઐશ સાંભળી લેતી હતી.
એક જેવા હતા અમે
સલમાને કહ્યું કે અમારા બંનેનો પરિવાર એક જેવો જ હતો.
ઐશ જવાબ આપતી ના હતી
સલમાને કહ્યું કે ઐશ તેના પ્રપોઝનો કોઈ જ જવાબ આપતી ના હતી અને તેનાથી દુર રહેવા લાગી હતી તેનાથી મેં મારપિટ અને ગુસ્સો કર્યો હતો.