For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રકાશ ઝા માટે ‘સત્યાગ્રહ’, 3 દિવસમાં 40 કરોડ!

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 2 સપ્ટેમ્બર : પ્રકાશ ઝા માટે સત્યાગ્રહ ફિલ્મ બહુ સારી સાબિત થઈ રહી છે. સત્યાગ્રહમાં પ્રકાશ ઝાએ અમિતાભ બચ્ચન, કરીના કપૂર, અજય દેવગણ, મનોજ બાજપાઈ જેવા મોટા-મોટા કલાકારો લીધા હતાં અને તેમનું આ કલેક્શન ખૂબ જ લકી સાબિત થી રહ્યું છે. ફિલ્મની શરુઆત જોકે થોડી ધીમી સાબિત થઈ હતી, પણ હવે ફિલ્મે ઝડપ પકડી છે.

satyagrah

બીજી બાજુ સત્યાગ્રહ ફિલ્મ માટે આ એક જ અઠવાડિયું છે કમાણી કરવાનું, કારણ કે આવતા શુક્રવારે ઝંજીર અને શુદ્ધ દેસી રોમાંસ જેવી ફિલ્મો રિલીઝ થવાની છે. તેથી સત્યાગ્રહનો બિઝનેસ ઠપ થઈ શકે છે. ગત શુક્રવારે રિલીઝ થયેલી સત્યાગ્રહ ફિલ્મે પ્રથમ દિવસે 11 કરોડની કમાણી કરી. બીજા દિવસે શનિવારે 13 કરોડ અને રવિવારે 14 કરોડની કમાણી કરી છે. આમ કહી શકાય કે ત્રણ દિવસમાં ફિલ્મે 40 કરોડની કમાણી કરી લીધી છે.

સત્યાગ્રહ ફિલ્મનું બજેટ 50 કરોડ રહ્યુ હતું કે જે આવતા બે-ત્રણ દિવસમાં વસૂલ થઈ જશે. તે પછી ફિલ્મ પ્રોફિટ આવી જશે. હાલ તો સત્યાગ્રહ ફિલ્મ પ્રકાશ ઝાની બાકીની ફિલ્મો કરતાં સારો બિઝનેસ કરી રહી છે. હવે શુક્રવારે યશ રાજ ફિલ્મ્સની શુદ્ધ દેસી રોમાંસ અને અપૂર્વ લાખિયાને ઝંજીર ફિલ્મો રિલીઝ થઈ રહી છે. તેથી સત્યાગ્રહ ફિલ્મનો બિઝનેસ પ્રભાવિત થઈ શકે છે.

English summary
Satyagraha movie has collected Rs 39.12 crores nett at the Indian Box Office in the first weekend. Its breakup is Rs 11.21 cr on Fri, Rs 13.08 cr on Sat and Rs 14.83 cr on Sunday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X