શાહિદમાં છે એંટરટેનમેંટ માટેના તમામ તત્વો : સોનાક્ષી
મુંબઈ, 23 નવેમ્બર : આગામી 6ઠી ડિસેમ્બરે રિલીઝ થતી પ્રભુ દેવાની ફિલ્મ આર રાજકુમાર અંગે અભિનેત્રી સોનાક્ષી સિન્હા ખૂબ જ ઉત્સાહિત છે. પહેલી વાર શાહિદ કપૂર સાથે પડદે દેખાનાર સોનાક્ષીએ જણાવ્યું કે શાહિદ સાથે કામ કરી મજા પડી ગઈ. તેઓ ખૂબ જ સારા કલાકાર અને એંટરટેનેર છે. તેઓ બહેતરીન ડાન્સર તો છે જ, સાથે જ ફિલ્મમાં તેમણે જે એક્શન કર્યું છે, તે પણ બહેતરીન છે. મેં તો જ્યારે તેમને એક્શન કરતા જોયાં, ત્યારે મારા હોશ જ ઉડી ગયાં. હી ઇઝ ઍ ક્લાસિક એક્ટર કે જેમાં મનોરંજનના તમામ તત્વો હાજર છે.
નોંધનીય છે કે આર રાજકુમાર ફિલ્મના પ્રમોશનલ ઇવેંટમાં પણ શાહિદ-સોનાક્ષી બંનેએ જણાવ્યુ હતું કે તેઓ ફિલ્મના સેટ ઉપરથી અનેક સારી સ્મૃતિઓ લઈને પરત ફર્યાં છે. શાહિદે પણ સોનાક્ષીના વખાણ કરતાં જણાવ્યુ હતું કે સોનાક્ષી ખૂબ જ મહેનતુ કલાકાર છે. લાંબાગાળે સફળતાનો સ્વાદ ચખનાર શાહિદ મિયાએ જણાવ્યું કે હવે તેઓ લાઇફમાં સૅટલ થવા માંગે છે. શાહિદે જણાવ્યું - હું ઘણા વર્ષોથી એકલો છું અને ખુશ ચું. જો મને કોઈ છોકરી પસંદ પડે, તો કદાચ હું તેની સાથે સંસાર માંડી લઇશ. નહિતર બધુ બેકાર છે, પહેલા પ્રેમ કરો, પછી દિલ તૂટશે, પછી ડિપ્રેશનમાં જીવો. તેથી હવે મને પ્રેમ થશે કે હું ઘર માંડી લઇશ.
એમ તો શાહિદ-સોનાક્ષીને લોકોએ એક બેમેલ જોડી કહી હતી અને જણાવ્યુ હતું કે લોકો આ જોડીને પસંદ નહીં કરે, પરંતુ જે રીતે ફિલ્મના ગીતોને રિસ્પૉન્સ મળ્યું છે, તે જોતા નથી લાગતું કે લોકોને આ જોડી નહીં ગમે. ખેર અસલી પરીક્ષા તો 6ઠી ડિસેમ્બરે થશે કે જ્યારે આ ફિલ્મ રિલીઝ થશે.