અંદાઝ અપના અપનાની સિક્વલમાં રણબીર-શાહિદ
મુંબઈ, 5 સપ્ટેમ્બર : રાજકુમાર સંતોષી અંદાઝ અપના અપના ફિલ્મની સિક્વલ બનાવવાનાં છે. આમિર ખાન અને સલમાન ખાનની આ સુપરહિટ કૉમેડી ફિલ્મની સિક્વલમાં હવે રણબીર કપૂર તથા શાહિદ કપૂર લોકોને હસાવતાં નજરે પડી શકે છે.
રાજકુમાર સંતોષીએ અંદાઝ અપના અપના ફિલ્મની સિક્વલ બનાવવાની જાહેરાત કરી દીધી છે. જોકે તેમણે આ અંગે શાહિદ અને રણબીર સાથે હાલ વાતચીત નથી કરી, પણ તેમને પુરતો વિશ્વાસ છે કે બંને સિતારાઓ તેમની વાતનો ઇનકાર નહીં કરે. રાજકુમાર સંતોષી શાહિદ કપૂર સાથે તો હાલમાં ફટા પોસ્ટર નિકલા હીરો ફિલ્મ કરી જ રહ્યાં છે કે જેમાં ઇલિયાના ડિક્રૂઝી અભિનેત્રી છે. ફિલ્મ 20મી સપ્ટેમ્બરે રિલીઝ થવાની છે.
દરમિયાન રાજકુમાર સંતોષીએ અંદાઝ અપના અપનાની સિક્વલ બનાવવાની જાહેરાત કરી છે. સંતોષીએ જણાવ્યું કે ફટા પોસ્ટર નિકલા હીરો ફિલ્મ લોકોને ગમશે અને આ ફિલ્મ બાદ તેઓ અંદાજ અપના અપનાની સિક્વલ બનાવવાની તૈયારી શરૂ કરશે. ફિલ્મમાં સલમાન ખાન તથા આમિર ખાનના સ્થાને શાહિદ કપૂર અને રણબીર કપૂર હશે.