રોહિતના ખાસ મહેમાનો : અજય, સલમાન અને શાહરુખ
મુંબઈ, 9 નવેમ્બર : ફિલ્મ દિગ્દર્શક રોહિત શેટ્ટીના બહેન મહક શેટ્ટીનાં ટુંકમાં જ લગ્ન થવાનાં છે. મહકના લગ્ન ડિઝાઇનર નવીન શેટ્ટી સાથે થવા જઈ રહ્યાં છે અને આ લગ્નમાં ભાગ લેવા રોહિતે બૉલીવુડનાં કેટાંક ખાસ મહેમાનો બોલાવ્યાં છે. આ ખાસ મહેમાનોમાં શાહરુખ ખાન, સલમાન ખાન અને અજય દેવગણનો પણ સમાવેશ થાય છે. એટલે કે સન ઑફ સરદાર અને જબ તક હૈ જાનના લીડ એક્ટર્સ.
સૌ જાણે છે કે રોહિત શેટ્ટી બૉલીવુડના તમામ મોટા-મોટા સિતારાઓ સાથે ગાઢ સંબંધ ધરાવે છે. ભલે તે શાહરુખ હોય કે સલમાન. આ સાથે જ રોહિત અજય, અભિષેક બચ્ચન અને અક્ષય કુમારના પણ સારા મિત્ર છે. તેથી આશા સેવાય છે કે સન ઑફ સરદારના અજય-સલમાન અને જબ તક હૈ જાનના શાહરુખ ત્રણેય એક્ટર્સ રોહિતના બહેનના લગ્ન સમારંભમાં હાજર રહેશે. રોહિત અને શાહરુખ ચેન્નઈ એક્સપ્રેસ ફિલ્મના સેટ પર મિત્રો બન્યા હતાં અને રોહિતે મહકના લગ્નના પગલે કેટલાંક સમય માટે શુટિંગ ટાળી દીધી હતી.
શાહરુખ હાલ તો મુંબઈથી બહાર પોતાની ફિલ્મ જેટીએચજેના પ્રમોશનમાં વ્યસ્ત છે, પરંતુ મહકના લગ્ન સમારંભમાં હાજરી આપવા તેઓ ટુંકમાં જ મુંબઈ આવશે. બીજી બાજુ સમગ્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અજય દેવગણને રોહિતના સૌથી નજીકનાં મિત્ર ગણવામાં આવે છે. રોહિતે પોતાના કૅરિયરની શરુઆતની મોટાભાગની ફિલ્મો અજય સાથે કરી છે. તેમાંથી પાંચ ફિલ્મો સુપર હિટ રહી છે. અજય પણ મહકને પોતાની બહેનની જેમ જ ગણે છે. તેથી તેમનું આ લગ્ન સમારંભમાં આવવું નક્કી જ છે.
રોહિતના પિતા સલમાન ખાનના પિતાના સારા મિત્ર છે અને સલમાન પણ રોહિતના મિત્રની જેમ જ છે, તો તેઓ પણ આ લગ્ન સમારંભમાં મહેમાન બની શકે છે. હવે જોવું એ છે કે જ્યારે એસઓએસ અને જેટીએચજેના એક્ટર્સ એક સાથે આ પાર્ટીમાં આવશે, તો કેવાં દૃશ્યો સર્જાશે ? સાથે જ સલમાન અને શાહરુખ જ્યારે એક-બીજાની સામે આવશે, તો તેમનું કેવું રિએક્શન હશે ? જાણવા માટે ઇંતેજાર કરો મહકના લગ્નનો.