
પોતાના બ્રા વાળા વિવાદીત નિવેદન બદલ શ્વેતા તિવારીએ માંગી માફી
અભિનેત્રી શ્વેતા તિવારીએ હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે 'ભગવાન મારી બ્રાની સાઈઝ લઈ રહ્યા છે'. શ્વેતા તિવારી ભોપાલમાં તેના આગામી વેબ શોસ્ટોપરનું પ્રમોશન કરી રહી હતી ત્યારે તેણે આ વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. હવે તેમના વિવાદના થોડા દિવસો બાદ શ્વેતાએ આ મામલે પોતાનું મૌન તોડ્યું છે. શ્વેતા તિવારીએ હવે લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડવા બદલ માફી પણ માંગી છે. શ્વેતા તિવારીના આ નિવેદનને લઈને સોશિયલ મીડિયા પર ઘણી ટીકા થઈ હતી.

શ્વેતા તિવારીએ કહ્યું, 'જો મેં અજાણતાં કોઈને દુઃખ પહોંચાડ્યું હોય તો હું માફી માંગુ છું'
મીડિયામાં સત્તાવાર નિવેદન જારી કરતી વખતે, શ્વેતા તિવારીએ કહ્યું કે તેણે જાણી જોઈને કે અજાણતાં કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડી નથી. શ્વેતા તિવારીએ પોતાની માફી પત્રમાં લખ્યું છે કે, મારા ધ્યાનમાં આવ્યું છે કે મારા સહકર્મીની પાછલી ભૂમિકાને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલા મારા એક નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવી રહ્યું છે. જો તેને યોગ્ય સંદર્ભમાં મૂકવામાં આવે, તો તમે સમજી શકશો કે 'ભગવાન'ના સંદર્ભમાંનું નિવેદન સૌરભ રાજ જૈનની દેવતાની લોકપ્રિય ભૂમિકાના સંદર્ભમાં હતું. લોકો પાત્રોના નામ અભિનેતાઓ સાથે જોડે છે. તેથી મેં મીડિયા સાથેની મારી વાતચીત દરમિયાન તેનો ઉદાહરણ તરીકે ઉપયોગ કર્યો.

'મારા નિવેદનને સંપૂર્ણપણે ખોટી રીતે સમજવામાં આવ્યુ...'
શ્વેતા તિવારીએ કહ્યું, "જોકે મારા નિવેદનને સંપૂર્ણ રીતે ગેરસમજ કરવામાં આવી છે, જે જોઈને ખૂબ જ દુઃખ થાય છે. એક વ્યક્તિ કે જે પોતે 'ઈશ્વર'માં દ્રઢ વિશ્વાસ ધરાવે છે, એવી કોઈ રીત નથી કે હું જાણી જોઈને કે અજાણતાં, લાગણીઓને ઠેસ પહોંચે એવું કંઈપણ કહું કે કરું."

'હું નમ્રતાપૂર્વક માફી માગું છું...'
શ્વેતા તિવારીએ આગળ લખ્યું કે જ્યારે તેમના નિવેદનને સંદર્ભની બહાર લેવામાં આવ્યું, ત્યારે તેનાથી અજાણતાં લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી. જો કે, તેણે દરેકને ખાતરી આપી હતી કે તેનો ઈરાદો ક્યારેય તેના શબ્દો કે કાર્યોથી કોઈને દુઃખી કરવાનો નથી. શ્વેતા તિવારીએ કહ્યું, "તેથી, મારા નિવેદનથી અજાણતા ઘણા લોકોને જે ઠેસ પહોંચી છે તેના માટે હું નમ્રતાપૂર્વક માફી માંગુ છું."

શ્વેતા તિવારી વિરુદ્ધ FIR નોંધવામાં આવી
આ નિવેદનને લઈને શ્વેતા તિવારી વિરુદ્ધ FIR પણ નોંધવામાં આવી છે. શ્વેતા તિવારી વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદન કરીને ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા બદલ FIR નોંધવામાં આવી છે. ભોપાલના શ્યામલા હિલ્સ પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતાની કલમ 295(A) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. વેબ સીરિઝના લોન્ચિંગ ઈવેન્ટ દરમિયાન શ્વેતાએ કહ્યું હતું કે તેની બ્રા સાઈઝ 'ગોડ' છે, જે ઘણા લોકોને પસંદ નથી આવી. શ્વેતાએ તેની આગામી વેબ સિરીઝના પ્રમોશન દરમિયાન એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું, જેમાં સૌરભ રાજ જૈન અને રોહિત રોય પણ છે.

એમપીના ગૃહમંત્રીએ પણ શ્વેતાના નિવેદનની નિંદા કરી હતી
મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ શ્વેતા તિવારીના વિવાદાસ્પદ નિવેદનની નોંધ લીધા બાદ તરત જ FIR નોંધવામાં આવી હતી. મીડિયા સાથે વાત કરતા નરોત્તમ મિશ્રાએ કહ્યું કે, મેં શ્વેતા તિવારીના નિવેદનને જોયું અને સાંભળ્યું છે. હું તેની નિંદા કરું છું. મેં ભોપાલ પોલીસ કમિશનરને તપાસ કરવા અને વહેલામાં વહેલી તકે રિપોર્ટ સબમિટ કરવાનો નિર્દેશ આપ્યો છે. ત્યાર બાદ કાર્યવાહી કરવામાં આવશે."