For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નાના પડદે કામ કરવામાં વાંધો નથી : સુશાંત સિંહ રાજપૂત

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 11 મે : ટેલીવિઝનના નાના પડદાથી ફિલ્મોમાં પગ મૂકનાર બૉલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનું કહેવું છે કે તેમને નાના પડદે કામ કરવા સામે વાંધો નથી. શરત એટલી જ છે કે ભૂમિકા દમદાર હોય.

sushant-singh-rajput

સુશાંત કાઇ પો છે ફિલ્મના ડીવીડી લૉન્ચિંગ પ્રસંગે બોલી રહ્યાં હતાં. તેમને પૂછવામાં આવ્યું કે શું તેમને પુનર્વિવાહ 2 તથા પવિત્ર રિશ્તા સીરિયલોમાં કામ કરવાની ઑફર કરાઈ છે, જવાબમાં સુશાંતે જણાવ્યું - મારી સાથે એવી કોઈ વાત કરાઈ નથી, પરંતુ જો એવું થશે, તો હું જરૂર તેની નોંધ લઇશ.

ચેતન ભગતની નવલકથા પર આધારિત કાઇ પો છે ફિલ્મ દ્વારા બૉલીવુડમાં પ્રવેશ કરનાર સુશાંતે જણાવ્યું કે કાઇ પો છે બાદ તેમના કૅરિયરમાં ખૂબ પરિવર્તન આવ્યું છે. હવે તેઓ પોતાની ફિલ્મોની પસંદગી કરે છે. તેમણે જણાવ્યું - સાચે જ જીવન બદલાઈ ગયું છે અને બૅંક બૅલેંસ સારૂં થઈ ગયું છે. કાઇ પો છે ફિલ્મથી પહેલા અને હવે જે સ્ક્રિપ્ટ્સ મળી રહી છે, તેમાં બહુ ફરક છે. હવે હું ફિલ્મોની પસંદગી કરી શકુ છં.

સુશાંત સિંહ રાજપૂત પાસે હાલ યશ રાજ ફિલમ્સની એક ફિલ્મ છે. ઉપરાંત રાજકુમાર હીરાણીની પીકે ફિલ્મમાં પણ તેઓ છે.

English summary
Actor Sushant Singh Rajput, who forayed into films after doing television, has no qualms about again working for the small screen again provided the work being offered is good.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X