પિતાની 30 વર્ષોની સ્ટ્રગલ છતાં સ્ટારકિડ્ઝે કરવી પડે છે બમણી મહેનત
સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ સતત નેપોટિઝ્મની ચર્ચા વધી ગઈ છે. સાથે જ આઉટસાઈડર બનેલા ઈનસાઈડર વિશે પણ સ્ટાર્સ અને પ્રશંસકો વચ્ચે પણ ગરમાગરમી જોવા મળી રહી છે. આ દરમિયાન જેકી શ્રોફના દીકરા ટાઈગર શ્રોફનુ નેપોટિઝમ પર નિવેદન સામે આવ્યુ છે. મીડિયા સાથે વાતચતમાં ટાઈગર શ્રોફે કહ્યુ કે ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકો માટે આ મુસાફરી સરળ નથી. ટાઈગર શ્રોફે મીડિયા સાથે વાતચીતમાં કહ્યુ કે સ્ટારકિડ્ઝ માટે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં રહેવુ સરળ નથી હરોતુ. તેમને પર હંમેશા એ દબાણ રહે છે કે કેવી રીતે ઈન્ડસ્ટ્રીમાં ખુદને સાબિત કરે. ટાઈગરે કહ્યુ કે મારા પર હંમેશાથી એ પ્રેશર હોય છે કે હું મારા પિતાથી સારુ કામ કરુ. સતત આ રીતનુ દબાણ રહે છે. તમને જણાવી દઈએ કે સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદથી સતત સોશિયલ મીડિયા પર સ્ટારકિડ્ઝ માટે ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. કરણ જોહર, આલિયા ભટ્ટ, મહેશ ભટ્ટ, સોનાક્ષી સિન્હા અને સોનમ કપૂર, સૂરજ પંચોલી માટે તમામ સ્ટાર્સને ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. એવામાં ટાઈગર શ્રોફનુ નિવેદન નેપોટિઝમ પર સામે આવ્યુ.

સ્ટારકિડ્ઝને કરવી પડે છે બમણી મહેનત
ટાઈગરે ન્યૂઝ એજન્સી સાથે વાતચીતમાં કહ્યુ કે ખુદને સાબિત કરવા માટે સ્ટારકિડ્ઝને બમણી મહેનત કરવી પડે છે. મે ખુદને પિતાની ઈમેજમાંથી કાઢીને પોતાની ઈમેજ બનાવી છે. ટાઈગરે કહ્યુ કે પિતા જેકી શ્રોફે 30 વર્ષનના લાંબા કરિયરમાં સફળતા અને નિષ્ફળતા બધુ જોયુ છે. તેમણે ખૂબ મહેનત કરી છે. આ જ કારણ છે કે પિતાએ સતત મને પ્રોટેક્ટ કર્યો છે અને મને મજબૂત બનાવ્યો છે.

સ્ટાર્સ પર સાધવામાં આવી રહ્યુ છે નિશાન
સલમાન ખાન, કરણ જોહરથી લઈને મહેશ ભટ્ટ જેવા સ્ટાર્સ પર પ્રશંકરોએ નેપોટિઝમનો આરોપ લગાવ્યો. ફિલ્મ સ્ટાર્સ પર નિશાન સાધ્યુ કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં માત્ર નેપોટિઝમ જ નહિ પરંતુ માફિયાગિરી પણ છે. જેના કારણે આઉટસાઈડર્સને ખાસ મુશેકેલીઓનો સામનો કરવો પડે છે.

સ્ટાર્સે છોડ્યુ સોશિયલ મીડિયા
સોનાક્ષી સિન્હા ઉપરાંત ઘણા બૉલિવુડ સ્ટાર્સે ટ્રોલિંગથી ત્રસ્ત થઈને ટ્વિટર ડિલીટ કરી દીધુ છે. વળી, સોનમ કપૂર, રિયા ચક્રવર્તીથી લઈને કરણ જોહરે કમેન્ટ બોક્સ બંધ કરી દીધુ.
ચીનમાં એક નવી મહામારીએ દીધી દસ્તક, કોરોના વાયરસની જેમ માનવીમાં ફેલાવાનુ જોખમ