Tunisha Suicide Case: શીજાન ખાનની જામીન અરજી સ્થગિત, હવે 9 જાન્યુઆરીએ થશે આવતી સુનાવણી
શીજાન તરફથી વસઈ કોર્ટમાં જામીન માટે અરજી દાખલ કરવામાં આવી હતી. જેને શનિવારે કોર્ટે સ્થગિત કરી દીધી.
Tunisha Suicide Case: ટીવીની જાણીતી અભિનેત્રી તુનિષા શર્માએ 24 ડિસેમ્બરના રોજ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. અભિનેત્રીની માના આરોપો બાદ અભિનેતા અને બૉયફ્રેન્ડ શીજાન ખાનની ધરપકડ કરવામાં આવી છે. શીજાન તરફથી વસઈ કોર્ટમાં જામીન માટે અરજી દાખલ કરવામાં આવી હતી. જેને શનિવારે કોર્ટે સ્થગિત કરી દીધી. હવે આ કેસમાં આગલી સુનાવણી 9 જાન્યુઆરીએ થશે.

અભિનેત્રીની માએ શીજાન ખાન પર તુનિષાને આત્મહત્યા માટે પ્રેરિત કરવાનો આરોપ લગાવ્યો હતો. અભિનેત્રીના કાકાએ પણ શીજાન પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા હતા. અભિનેત્રીના કાકાએ દાવો કર્યો હતો કે શીજાન સાથેના સંપર્કને કારણે ઇસ્લામ માનવા લાગી હતી. તેણે તુનિષાને પ્રેમના નામે છેતરી કારણકે શીજાનનુ અન્ય યુવતીઓ સાથે પણ અફેર હતુ.
તુનિષાના પરિવારજનોએ પણ લવ-જેહાદ એંગલથી આ મામલાની તપાસની માંગ કરી છે. જોકે લવ-જેહાદને લઈને હજુ સુધી પોલીસનુ નિવેદન સ્પષ્ટ રીતે સામે આવ્યુ નથી. બીજી તરફ શીજાનની બહેને તુનીષાના પરિવારના આરોપોને સંપૂર્ણપણે પાયાવિહોણા ગણાવ્યા છે. શીજાનની બહેને મીડિયા સાથે વાત કરતા ઘણા દાવા કર્યા હતા. બહેને કહ્યુ હતુ કે પરિવારને બદનામ કરવા માટે મીડિયામાં નરેટીવ સ્ટોરી ઘડવામાં આવી રહી છે. વળી, બહેને આ મામલે ધર્મનો એંગલ ઉમેરવા માટે પણ પ્રહારો કર્યા છે.
તમને જણાવી દઈએ કે આત્મહત્યા પહેલા તુનિષાએ કો-સ્ટાર શીજાન સાથે લંચ પણ કર્યુ હતુ. આ દરમિયાન શોના અન્ય સભ્યો પણ હાજર હતા. લંચ પછી અભિનેત્રીએ સેટ પર જ ગળે ફાંસો ખાઈ લીધો. જોકે, આ અંગે અન્ય સભ્યોને જાણ થતાં તેઓ તેને ફંદામાંથી બહાર કાઢી હૉસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. આ ઘટના બાદ દેશમાં ફરી એકવાર લવ-જેહાદનો મામલો ઉભો થવા લાગ્યો છે.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો








Click it and Unblock the Notifications
