જાણો શ્રીદેવી વિશે કેટલીક અજાણી વાતો
બોલિવૂડમાં શ્રીદેવી એક ખુબ જ જાણીતું નામ છે. શ્રીદેવી પોતાના સૌથી અલગ અભિનયને કારણે સુપરસ્ટાર બની.
બોલિવૂડમાં શ્રીદેવી એક ખુબ જ જાણીતું નામ છે. શ્રીદેવી પોતાના સૌથી અલગ અભિનયને કારણે સુપરસ્ટાર બની. બૉલીવુડમાં રૂપની રાણી તરીકે પ્રસિદ્ધ શ્રીદેવીનું નામ એક એવી અભિનેત્રી તરીકે લેવામાં આવે છે, જેમણે પોતાની દિલકશ અદાઓ અને દમદાર અભિનયથી 80 અને 90ના દશકામાં દર્શકોના દિલમાં પોતાની ખાસ ઓળખ બનાવી હતી.
શ્રીદેવી જ્યારે બૉલીવુડમાં આવી ત્યારે તેને હિન્દી નહોતું આવડતું અને તેનો અવાજ ડબ કરવામાં આવતો હતો. 1986માં આખરી રાસ્તા ફિલ્મમાં તેનો અવાજ રેખા દ્વારા ડબ કરવામાં આવ્યો હતો. શ્રીદેવીનો ઓરીજીનલ વોઇસ ચાંદની ફિલ્મમાં ઉપયોગમાં લેવામાં આવ્યો હતો.
શનિવારે મોડી રાત્રે બોલિવૂડ સુપરસ્ટાર શ્રીદેવી નું 54 વર્ષ ની ઉંમરે નિર્ધન થઇ ગયું. તેમની મૃત્યુના સમાચાર સાંભળીને બધા જ હેરાન છે. કોઈને પણ વિશ્વાસ નથી થઇ રહ્યો કે શ્રીદેવી હવે આ દુનિયામાં નથી રહ્યા. શ્રીદેવી એ દુબઇમાં અંતિમ શ્વાસ લીધો. તેમનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું હતું.
જાણો શ્રીદેવી વિશે કેટલીક અજાણી વાતો
સોલહવાં સાવનથી એન્ટ્રી
શ્રીદેવીએ હિન્દી ફિલ્મ જગત એટલે કે બૉલીવુડમાં અભિનેત્રી તરીકે 1979માં રજૂ થયેલી સોલહવાં સાવનથી એન્ટ્રી કરી, પરંતુ ફિલ્મ અસફળ રહેવાના કારણે તેઓ પુનઃ દક્ષિણ ભારતીય ફિલ્મો કરવા લાગ્યાં.
હિમ્મતવાલાથી બૉલીવુડ કમબૅક
વર્ષ 1983માં શ્રીદેવી ફરી એકવાર ફિલ્મ હિમ્મતવાલાથી બૉલીવુડ કમબૅક કર્યું. આ ફિલ્મની સફળતાં બાદ શ્રીદેવી એક અભિનેત્રી તરીકે બૉલીવુડ ફિલ્મોમાં પોતાની ઓળખ બનાવવામાં સફળ થયા હતાં.
શ્રીદેવી બીજી પસંદ
શ્રીદેવીના જીવનની બે મહત્વની ફિલ્મો નગીના અને ચાંદની માટે તે પહેલી પસંદ નહોતી. નગીના માટે પહેલા જયા પ્રદા અને ચાંદની માટે પહેલા રેખાને પસંદ કરવામાં આવી હતી.
શ્રીદેવી સામે હૃતિકનો પહેલો ડાયલોગ
રાકેશ રોશન અને અભિતેના રનજીકાંત અભિનિત ફિલ્મ ભગવાન દાદામાં હૃતિક રોશને ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે કામ કર્યું હતું અને તેણે તેનો પહેલો ડાઇલોગ શ્રીદેવી સામે બોલ્યો હતો.
શ્રીદેવી આ રીતે લખતી પોતાનું નામ
શ્રીદેવી પોતાના નામને અંગ્રેજીમાં Sreedevi લખતી પરંતુ તેણે ક્યારેય ફિલ્મ કે મેગેઝિન આર્ટિકલમાં તેનો ઉલ્લેખ કર્યો નહોતો.
શ્રીદેવી અને જયા પ્રદા વચ્ચે તકરાર
શ્રીદેવી અને જયા પ્રદા વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધો નહોતા બન્ને એકબીજા બોલાવતી સુદ્ધા નહોતી, 1984માં મક્સદ ફિલ્મના શૂટિંગ વખતે રાજેશ ખન્ના અને જીતેન્દ્રએ બન્ને અભિનેત્રીને એક મેક અપ રૂપમાં બંધ કરી દીધી હતી અને એવું વિચાર્યું હતું કે બન્ને વચ્ચેના સંબંધો સુધરી જશે, પરંતુ જ્યારે દરવાજો ખોલવામાં આવ્યો ત્યારે બન્ને અલગ-અલગ ખૂણામાં બેસેલી જોવા મળી હતી.
બાઝીગરમાં શ્રીદેવીને લેવાની હતી
બાઝીગરમાં મુખ્ય ભૂમિકામાં શ્રીદેવીની પસંદગી કરવામાં આવી હતી અને તે આ ફિલ્મમાં ડબલ રોલ નિભાવવાની હતી, પરંતુ બાદમાં સ્ટોરી ફરીથી લખવામાં આવી અને તેમાં કાજોલ અને શિલ્પા શેટ્ટીને લેવામાં આવી. ફિલ્મ નિર્માતાઓ એવું માની રહ્યાં હતા કે જો શાહરુખ ખાન દ્વારા શ્રીદેવીના પાત્રની હત્યા કરવામાં આવશે તો શાહરુખના પાત્રને જોઇએ તેટલી સહાનુભૂતિ નહીં મળે.
લમ્હેના શૂટિંગ વખતે શ્રીદેવીના પિતાનું નિધન
શ્રીદેવીના પિતાનું નિધન એ સમયે થયું હતું જ્યારે તે લંડનમાં યશ ચોપરાની ફિલ્મ લમ્હેનું શૂટિંગ કરી રહી હતી. જો કે, તે તુરત ઘરે આવી હતી અને બાદમાં અંતિમ વિધિ પૂર્ણ કરી તે પુનઃ ફિલ્મના શૂટિંગમાં લાગી ગઇ હતી.
કે રાઘવેન્દ્ર રાવે શ્રીદેવીને બનાવી સ્ટાર
શ્રીદેવીને કે રાઘવેન્દ્ર રાવ નામના ડિરેક્ટરે સ્ટાર બનાવી છે. શ્રીદેવીએ શરૂઆત બાળ કલાકાર તરીકે કરી હતી. કે રાઘવેન્દ્ર રાવે પદાહારેલા વાયસુ ફિલ્મથી શ્રીદેવીને તેલગુ સ્ટાર બનાવી અને હિંમતવાલા ફિલ્મથી બૉલીવુડ સ્ટાર બનાવી હતી.