જ્યારે શાહિદ કપૂરે, કરીનાને તેના લગ્ન વિષે કંઇક આમ કહ્યું!
શાહિદ કપૂર તેની એક્સ ગર્લફ્રેન્ડ કરીના કપૂરના આજે પણ સંપર્કમાં છે. તે પણ ત્યારે જ્યારે શાહિદ કપૂર દિલ્હીની મીરા રાજપૂત જોડે નજીકના જ ભવિષ્યમાં લગ્ન કરવાના છે ત્યારે.
જો કે તમે આ વાતમાં કંઇ પણ ખોટું સમજો તે પહેલા તે જણાવી દઉં કે આ વાતનો સ્વીકાર ખુદ કરીના કપૂરે કર્યો હતો. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેને શાહિદ કપૂરના લગ્ન વિષે ખબર છે.
ત્યારે કરીના કપૂરે કહ્યું કે શાહિદ તેને ત્રણ મહિના પહેલા મળ્યો હતો અને તેને કરીનાને તેના લગ્ન વિષે જણાવ્યું હતું. નોંધનીય છે કે એક સમય હતો જ્યારે કરીના અને શાહિદ એકબીજાના પ્રેમમાં હતા. ત્યારે કેવી રીતે કરીનાએ આ વાતનો ધટસ્ફોટ કર્યો તે જાણો આ ફોટો સ્લાઇડરમાં...
જૂની યાદો
શાહિદ કપૂર અને કરિના કપૂર એકબીજાના લગભગ ત્રણ વર્ષ સુધી ડેટ કર્યા છે.
કરીના
ત્યારે જ જ્યારે કરીનાને પૂછવામાં આવ્યું કે શું તેમને શાહિદ કપૂર અને મીરાં રાજપૂતના લગ્ન વિષે ખબર છે? ત્યારે કરીનાએ કંઇક આમ કહ્યું.
કરીના-શાહિદ
કરીનાએ કહ્યું કે તે ત્રણ મહિના પહેલા શાહિદને મળી હતી અને બન્ને એક બીજા સાથે સરસ રીતે વાત પણ કરી હતી
કરીના-શાહિદ
એટલું જ નહીં સામે ચાલીને કરીનાના એક્સ બોયફ્રેન્ડ તેવા શાહિદે કરીનાને પોતાના લગ્ન વિષે જાણકારી આપી હતી.
ખુશી
જો કે આ વાત જાણ્યા બાદ કરીનાએ પણ શાહિદ અને મીરાને તેમના સુખી દાંપત્ય જીવન માટે બેસ્ટ ઓફ લક કહ્યું હતું.
વખાણ
કરીનાએ વધુમાં શાહિદના વખાણ પણ કર્યા હતા. તેણે કહ્યું હતું કે હેદર શાહિદને ભારે સફળતા આપી છે.
કરીના
તેણે કહ્યું કે પ્રોફેસનલી અને પર્સનલી શાહિદ હાલ છે ખુબ જ ખુશ. અને તેની ખુશીમાં કરીના પણ છે ખુશ.
લગ્નમાં આવશે?
ત્યારે જ્યારે કરીનાને તેમ પૂછવામાં આવ્યું કે શું તે તેના એક્સ બોયફ્રેન્ડ શાહિદ કપૂરના લગ્નમાં જશે?
જવાબ
તો કરીનાએ પણ કહી દીધું કે જો તેને નિમંત્રણ પાઠવવામાં આવશે તો તેને પણ લગ્નમાં સજોડે જવામાં કોઇ વાંધો નથી.
પાસ્ટ ઇઝ પાસ્ટ
જે જોઇને લાગી રહ્યું છે કે શાહિદ અને કરીના હવે તેમના પાસ્ટને ભૂલાવીને આગળ વધી ગયા છે.