For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નાસિર હુસૈનને શ્રદ્ધાંજલિ છે યે જવાની હૈ દીવાની

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 20 ફેબ્રુઆરી : કહે છે કે કલાકારને જો શ્રદ્ધાંજલિ અર્પવી હોય, તો તેને કલા વડે જ આપી શકાય છે. તેથી જ આર્યન મુખર્જીએ ફિલ્મમેકર નાસિર હુસૈનને પોતાની ફિલ્મ યે જવાની હૈ દીવાની દિગ્દર્શિત કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પવાનું વિચાર્યું છે. તેથી જ ફિલ્મમેકર કરણ જૌહર આ ફિલ્મના નિર્માતા પણ છે. નાસિર હુસૈને દિલ દેકર દેખો જેવી ક્લાસિક ફિલ્મ બનાવી હતી. કહે છે કે યે જવાની હૈ દીવાની ફિલ્મની વાર્તા પણ તે ફિલ્મથી જ પ્રેરિત છે.

yeh-jawani-diwani-hai-deewani

નોંધનીય છે કે યે જવાની હૈ દીવાની ફિલ્મમાં લીડ રોલ રણબીર કપૂર તથા દીપિકા પાદુકોણે કરી રહ્યાં છે, પરંતુ આ બંને ઉપરાંત પણ ફિલ્મમાં બે મહત્વના કલાકારો છે. તે છે આદિત્ય રૉય કપૂર અને કલ્કી કોચલીન. તેમના કૅરેક્ટર અંગે હજુ સસ્પેંસ જાળવી રખાયું છે. ફિલ્મના પ્રમોશનમાં રણબીર-દીપિકાના જૂના લવ-અફૅરને પૂર્ણત્વે વટાવવાનો પ્રયત્ન કરાયો છે.

તાજેતરમાં જ ફિલ્મનો ફર્સ્ટ લુક સામે આવ્યો છે કે જેમાં સ્પષ્ટ રીતે લખાયું છે કે ફિલ્મ લવને સેલિબ્રેટ કરે છે. ફર્સ્ટ લુકે જોઈ લાગે છે કે આ એક મસ્તીભરી પ્રણય-કથા છે. આર્યન મુખર્જીએ અગાઉ પણ રણબીર કપૂરને વેકઅપસિડમાં દિગ્દર્શિત કર્યા છે, જ્યારે દીપિકા પ્રથમ વાર આર્યન સાથે કામ કરે છે. ફિલ્મ 31મી મેના રોજ રિલીઝ થવાની છે.

English summary
Yeh Jawaani Hai Deewani is said to be a tribute to the cinema of Nasir Hussain who directed classics such as Dil Deke Dekho.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X