સાઢા ચાર વર્ષથી ભૂલી ચુકી છું કે સુહાગરાત શુ હોય છે
ચંદીગઢથી ભાજપા સાંસદ અને બોલિવૂડ અભિનેત્રી કિરણ ખેર હાલમાં ટીવી રિયાલિટી શૉ ઇન્ડિયાસ ગોટ ટેલેન્ટમાં વ્યસ્ત છે.
ચંદીગઢથી ભાજપા સાંસદ અને બોલિવૂડ અભિનેત્રી કિરણ ખેર હાલમાં ટીવી રિયાલિટી શૉ ઇન્ડિયાસ ગોટ ટેલેન્ટમાં વ્યસ્ત છે. આ શૉમાં જજની ભૂમિકામાં તેમની સાથે કરણ જોહર અને મલાઈકા અરોરા પણ છે. આ શૉ દરમિયાન કોમેડિયન ભારતી સિંહના એક સવાલનો કિરણ ખેરે એવો જવાબ આપ્યો કે કરણ જોહર અને મલાઈકા અરોરા પોતાની હસીને રોકી શક્યા નહીં. ખરેખર ભારતી સિંહએ સુહાગરાત પર કિરણ ખેરને સવાલ પૂછ્યો હતો જેના જવાબ પર બધા જ હસવા લાગ્યા હતા.
ભારતીએ પૂછ્યું, સુહાગરાતમાં શુ થાય છે?
શૉ દરમિયાન ઢોલ સાથે નાચતા ભારતી સિંહ દાખલ થઇ અને કિરણ ખેરને કહ્યું કે મારા લગ્ન થઇ ચુક્યા છે, હવે હું વહુ બની ચુકી છું એટલે થોડું સારી રીતે નાચી રહી છું. આજે હું અધવચ્ચેથી જ ઘરે આવી છું, આજે મારી સુહાગરાત છે. ભારતીએ કિરણ ખેરને કહ્યું કે તેને સુહાગરાત વિશે ખબર નથી એટલે તેઓ જ તેને જણાવી દે કારણકે તેમને વધારે અનુભવ છે. ભરતી સિંહના સવાલ પર કિરણ ખેરે ખુબ જ મજાકિયા અંદાઝમાં જવાબ આપ્યો.
હું તો સાઢા ચાર વર્ષથી ચંડીગઢમાં રહું છું
કિરણ ખેરે ભારતી સિંહને જવાબ આપતા કહ્યું કે તેઓ તો છેલ્લા સાઢા ચાર વર્ષથી મુંબઈ છોડીને ચંડીગઢમાં રહે છે. કિરણ ખેરે કહ્યું કે તેઓ સાઢા ચાર વર્ષથી ભૂલી ચુક્યા છે કે સુહાગરાત શુ હોય છે. મને માફ કરજો મને ખબર નથી કે સુહાગરાતમાં શુ થાય છે. કિરણ ખેરના જવાબ પર શૉમાં હાજર બધા જ લોકો હસવા લાગ્યા.
છોકરીઓ જ ઘરમાં કેમ રહે, છોકરાઓ કેમ નહીં?
આપણે જણાવી દઈએ કે હાલમાં કિરણ ખેર ચંદીગઢ સીટથી ભાજપની લોકસભા સાંસદ છે. આ પહેલા કિરણ ખેર તે સમયે ચર્ચામાં આવી હતી જયારે તેમને આઈએએસ ઓફિસરની દીકરી સાથે છેડછાડ અને અપહરણ મામલે નિવેદન આપ્યું હતું. કિરણ ખેરે કહ્યું હતું કે સુરક્ષા માટે છોકરીઓએ ઘરે રહેવું બિલકુલ બકવાસ વાત છે. કિરણ ખેરે કહ્યું હતું કે જયારે સુરક્ષાની વાત આવે છે ત્યારે બધા જ નિયમો છોકરીઓ પર કેમ લાગુ કરવામાં આવે છે તે છોકરાઓ પર પણ લાગુ થવા જોઈએ.