તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં નહિ દેખાય દયાબેન? આ હોઈ શકે છે મોટુ કારણ
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં હવેથી દયાબેન દેખાશે નહિ જેના વિશે શોના પ્રોડ્યુુસર અસિત મોદીએ જણાવ્યુ છે.
સબ ટીવીના જાણીતા શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને કોણ નથી જાણતુ. વળી, આ શોની જાન દયાબેન ઉર્ફે દિશા વાકાણી પણ ઘણી પ્રસિદ્ધ છે. એવામાં જો તે આ શોમાંથી જતા રહે તો ફેન્સનું દિલ તૂટવુ તો જાયઝ છે. વાસ્તવમાં સમાચાર એ છે કે દયાબેને હાલમાં જ એક બાળકને જન્મ આપવા માટે બ્રેક લીધો હતો. પરંતુ હવે તે એક પુત્રીની મા બની ગઈ છે તો લોકોને સીરિયલમાં તેમના કમબેકની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. જો કે એવુ લાગી નથી રહ્યુ.
જ્યારે આ શોના પ્રોડ્યુસર અસિત કુમાર મોદીને પૂછવામાં આવ્યુ તો તેમણે કહ્યુ કે અમે આ વિશે કંઈ નહિ કહી શકીએ. કદાચ આ સાચુ હોય પરંતુ હજુ અંતિમ નિર્ણય નથી આવ્યો. અમારી ટીમ દિશા સાથે આ વિશે વાતચીત કરવાની કોશિશ કરી રહી છે.
તમને જણાવી દઈએ કે આ સીરિયલમાં દયાબેનનો ખૂબ જ ખાસ રોલ છે. કોમેડીમાં માનો તેમણે મહારથ મેળવ્યુ હોય. સીરિયલમાં મુંબઈની ગોકુલધામ સોસાયટીની કહાની છે. આ એક પારિવારિક સીરિયલ છે જેમાં હસી મજાકમાં મોટી શિક્ષા આપવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ કરીના કપૂર આ પક્ષમાંથી લડશે લોકસભા ચૂંટણી? અભિનેત્રીએ આપ્યુ મોટુ નિવેદન!