2018 ની દિવાળીમાં થશે આ સુપરસ્ટારનું કમબેક, તૂટી જશે બધા રેકોર્ડ!
નવી જાણકારી મુજબ કપિલ એક વાર ફરીથી ધ કપિલ શર્મા શો ની નવી સિઝન સાથે કમબેક કરશે.
વર્ષ 2018 માં જો કે ઘણા સ્ટાર્સ અને ટીવી શો નું કમબેક થવા જઈ રહ્યુ છે. પરંતુ જેની સૌથી વધુ રાહ જોવાઈ રહી છે તે બીજુ કોઈ નહિ પરંતુ કપિલ શર્મા છે. પોતાના ટ્વિટર વિવાદ બાદ પહેલી વાર કપિલ શર્માએ મોટો ખુલાસો કર્યો છે. નવી જાણકારી મુજબ કપિલ એક વાર ફરીથી ધ કપિલ શર્મા શો ની નવી સિઝન સાથે કમબેક કરશે.
કપિલે એક વેબસાઈટ સાથે વાતચીત દરમિયાન આની જાણકારી આપી છે. તેમણે કહ્યુ કે હું મારા ફેન્સને આશ્વસ્ત કરવા ઈચ્છુ છુ કે હું જલ્દી કપિલ શર્મા શો ની વધુ એક સિઝન સાથે પાછો આવીશ.
આ શો ફેન્સ પર ફરીથી એ જ છાપ છોડશે અને તેમનો પ્રેમ જ તેને આગળ વધારશે. હજુ તો હું પ્રારંભિક ચરણમાં છુ. પોતાની તંદુરસ્તી વિશે તેણે કહ્યુ કે હું મારા આરોગ્ય પર ઘણુ ધ્યાન આપી રહ્યો છુ. પરિવારના સાથના કારણે જ તેની તબિયતમાં જલ્દી સુધારો થયો છે. હાલમાં એવા કયાસ લગાવવામાં આવી રહ્યા છે કે કપિલ દિવાળી પર કમબેક કરશે.
આ પણ વાંચોઃ સડક 2: સુશાંત સિંહ અને આલિયા ભટ્ટ રોમાન્સ કરતા જોવા મળશે
આ 7 સુપરસ્ટાર તમને ટીવી પર ક્યારેય નહિ દેખાય. આ લિસ્ટમાં ઘણા બ્લોકબસ્ટર શો ના નામ પણ શામેલ છે. ચાલો સમય બગાડ્યા વિના અહીં જુઓ ચોંકાવનારા નામ...
અનુપ સોની
આઠ વર્ષ સતત ક્રાઈમ પેટ્રોલ હોસ્ટ કર્યા બાદ અનુપ સોનીએ શો છોડવાનો નિર્ણય કર્યો છે. તેમણે કહ્યુ કે તે પોતાની અંદરના એક્ટરને ન મારી શકે.
કૃપ સૂરી
જીત ગઈ તો પિયા મોરેના મેઈન લીડ કૃપ સૂરીએ લીપ બાદ શો માં કામ કરવાનો ઈનકાર કરી દીધો છે. તેમનુ કહેવુ છે કે તે 25 વર્ષના પિતાની ભૂમિકા નથી નિભાવવા ઈચ્છતા.
મેઘના મલિક
મેઘના મલિક લાડો શો ની સ્ટાર રહી છે. પરંતુ લાડો 2 માં તે પોતાની ભૂમિકા માટે ખુશ નહોતી. આના કારણે તેણે શો છોડી દીધો હતો.
જ્યોતિ શર્મા
જ્યોતિ શર્મા એસી દિવાનગી શો માં જોવા મળી હતી. પરંતુ કોઈ આરામ વિના તેની પાસે 18 કલાક કામ કરાવવામાં આવતુ હતુ. આના કારણે તેણે શો છોડવાનો નિર્ણય કર્યો.
પ્રણવ મિશ્રા
એસી દિવાનગીમા પ્રણવ મિશ્રા લીડ ભૂમિકામાં જોવા મળ્યા. પરંતુ સેટ પર તેમની સાથે થયેલા વ્યવહાર બાદ તેમણે પણ આ ટીવી શો છોડવાનો નિર્ણય કર્યો.
સના અમીન
સના અમીન શેખે ચાઈલ્ડ શો ભૂતુને છોડવાનો નિર્ણય ત્યારે લીધો જ્યારે શો ની સ્ટોરીલાઈનમાં લવ સ્ટોરીનો એન્ગલ શામેલ કરવામાં આવ્યો.
કિંશુક મહાજન
કિંશુક મહાજને પણ ભૂતૂને વચમાં જ છોડવાનો નિર્ણય કર્યો. તેનું માનવુ હતુ કે શોની ટીઆરપી નીચે જઈ રહી છે. દર્શકોને પાછા લાવવા માટે લવ સ્ટોરીનો એન્ગલ લાવવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચોઃ બહેન પાસે રાખડી બંધાવા માટે ગુમનામીમાંથી બહાર આવ્યો કપિલ, ફોટા વાયરલ