For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હાર્દિક પંડ્યા વિવાદ પછી મને ઉંગ નથી આવી, I am Sorry: કરણ જોહર

કોફી વિથ કરણમાં હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલ એપિસોડના પ્રસારણના બીજા જ દિવસે ભારે કોન્ટ્રોવર્સી પેદા થઇ.

|
Google Oneindia Gujarati News

કોફી વિથ કરણમાં હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલ એપિસોડના પ્રસારણના બીજા જ દિવસે ભારે કોન્ટ્રોવર્સી પેદા થઇ. હોટસ્ટારે એપિસોડને વેબસાઈટથી હટાવીને સમજદારી દાખવી. દરેક લોકો જાણવા માંગે છે કે આખરે કરણ જોહર આ મામલે શુ કહે છે.

લોકો જાણવા માંગતા હતા કે કરણ જોહરે જે સવાલ પૂછ્યો જેના પર હાર્દિક પંડ્યાએ મહિલાઓ માટે આવી ટિપ્પણી હતી કે કેટલો યોગ્ય હતો? શુ કરણ જોહર અને શૉના મેકરે આ બધું ટીઆરપી માટે કર્યું?

આખરે કરણ જોહર આ બધા જ સવાલોના જવાબ આપવા માટે આવી ગયા છે. પોતાની ચુપ્પી તોડતા કરણ જોહરે એક ખાસ ચેનલ સાથે વાતચીત કરતા આ મામલે ઘણા ચોંકાવનારા નિવેદનો આપ્યા છે.

આ પણ વાંચો: હાર્દિક પંડ્યા સાથે જોડાયેલા સવાલ પર ભડકી ઈશા ગુપ્તાઃ કોણે કહ્યુ તે મારો દોસ્ત છે?

આ મારો શૉ છે, મારી જવાબદારી છે

આ મારો શૉ છે, મારી જવાબદારી છે

કરણ જોહરે આ મામલે સફાઈ આપી છે. કરણ જોહરે કહ્યું કે તેઓ આ મામલે પોતાને જવાબદાર માને છે. આ મારો શૉ છે, મારુ મંચ છે, અહીં મારી જવાબદારી વધારે છે.

જે થયું તે મારી જવાબદારી

જે થયું તે મારી જવાબદારી

પોતાની વાતને આગળ વધારતા કરણ જોહરે જણાવ્યું કે મેં હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલને મહેમાન તરીકે બોલાવ્યા હતા. આ વિવાદનું જે પરિણામ આવ્યું તે મારી જવાબદારી છે.

આખી રાત ઉંગ નથી આવી

આખી રાત ઉંગ નથી આવી

પોતાને જવાબદાર માનતા કરણ જોહરે જણાવ્યું કે આ કારણે હું ઘણી રાતો ઊંઘ્યો નથી. હું વિચારતો હતો કે આખરે આ નુક્શાનની ભરપાઈ હું કેવી રીતે કરીશ. મારી વાત કોણ સંભાળશે.

હું મારો બચાવ નહીં કરું

હું મારો બચાવ નહીં કરું

કરણ જોહરે જણાવ્યું કે આ વાત તેમના કંટ્રોલ બહાર નીકળી ગઈ. જો મેં કોઈ એવી વાત કહી તો હું મારો બચાવ નહિ કરું.

જે સવાલ તેમને પૂછ્યો તેના પર દીપિકા અને આલિયા

જે સવાલ તેમને પૂછ્યો તેના પર દીપિકા અને આલિયા

પોતાના સવાલ પર સફાઈ આપતા કરણ જોહરે જણાવ્યું કે મેં તેમને જે સવાલ પૂછ્યા હતા તે સવાલ આ શૉમાં મહિલાઓને પણ પૂછવામાં આવ્યા છે. મેં દીપિકા અને આલિયા ભટ્ટને પણ આ સવાલ કર્યા હતા.

મને તેના પર અફસોસ છે

મને તેના પર અફસોસ છે

પોતાની સફાઈ આપતા કરણ જોહરે જણાવ્યું કે સવાલો પર મારો કંટ્રોલ છે પરંતુ જવાબ પર મારુ કોઈ નિયંત્રણ નથી. તેમની સાથે જે થયું તેનો મને અફસોસ છે.

મેં ટીઆરપી માટે નથી કર્યું

મેં ટીઆરપી માટે નથી કર્યું

હાર્દિક અને રાહુલ સામે થઇ રહેલી કાર્યવાહી પર કરણ જોહરનું કહેવું છે કે જે થયું તેનો ખુબ જ અફસોસ છે. મેં આ બધું ટીઆરપી માટે નથી કર્યું. હું ક્યારેય પણ ટીઆરપી માટે ચિંતા નથી કરતો.

English summary
I feel very Sorry Karan Johar opens up about Hardik Pandya, KL Rahul controversy
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X