For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઇન્ડિયન આઇડોલ 2 સંદીપ આચાર્યનું નિધન, લોકો સ્તબ્ધ!

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 16 ડિસેમ્બર : એક ખૂબ જ દુઃખદ સમાચાર સંગીત અને ટેલીવિઝન દુનિયા માટે આવ્યાં છે. રવિવારે ભારતે પોતાનો ઇન્ડિયન આઇડોલ 2 કાયમ માટે ગુમાવી દીધો. જી હા, અમે વાત કરીએ છીએ ઇન્ડિયન આઇડોલ સંદીપ આચાર્યનું કે જેમનું રવિવારે ગુડગાંવ ખાતેની વેદાંત હૉસ્પિટલમાં નિધન થઈ ગયું. તેઓ માત્ર 29 વર્ષના હતાં.

sandeep-acharya
સંદીપ આચાર્ય છેલ્લા કેટલાંક દિવસથી કમળાથી પીડાતા હતાં. તેમની સારવાર બીકાનેર ખાતે ચાલુ હતી, પરંતુ હાલતમાં કોઈ સુધારો ન થતા તેમને ગુડગાંવ ખાતેની વેદાંત હૉસ્પિટલે દાખલ કરવામાં આવ્યા હતાં કે જ્યાં સંદીપે રવિવારે છેલ્લા શ્વાસ લીધાં. પોતાના મખમલી અવાજના માલિક સંદીપ આચાર્ય એપ્રિલ 2006માં સોનીના હિટ શો ઇન્ડિયન આઇડોલ 2ના વિજેતા હતાં. અગાઉ તેઓ 2004માં ગોલ્ડન વૉઇસ ઑફ રાજસ્થાન પણ રહી ચુક્યા હતાં.

સંદીપના લગ્ન એક વરસ અગાઉ જ થયા હતાં અને હજી 17 દિવસ પહેલા જ તેમના પત્નીએ નાનકડી બાળકીને જન્મ આપ્યો હતો, પરંતુ વિધાતાને કદાચ કંઇક ઓર જ મંજૂર હતું. સંદીપ આચાર્ય તેવા ભાગ્યશાળી લોકોમાંના એક હતાં કે જેમને અમેરિકામાં પૉપ પાયલ માયકલ જૅક્સનના પરિવાર સામે ગાવાની તક મળી હતી. તેમણે વિદેશોમાં 15 કરતા વધુ સ્ટે શો કર્યા હતાં.

સંદીપ આચાર્યના આકસ્મિત મોતે દરેકને સ્તબ્ધ કરી દીધાં છે. સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ ઉપર સંદીપના ફૅન્સે તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી છે. સંગીતના આ હોનહાર ઉપાસકના નિધનથી વનઇન્ડિયા પરિવાર પણ બહુ દુઃખી છે. વનઇન્ડિયા પરિવાર પણ સંદીપના આત્માની શાંતિ અર્થે ઈશ્વરને પ્રાર્થના કરે છે.

English summary
Indian Idol season 2 winner Sandeep Acharya died following illness resulting from jaundice on Sunday, 15th December 2013 at 9 am. He was rushed to Medanta Hospital in Gurgaon, New Delhi after his health deteriorated.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X