શા માટે SRK-અનુષ્કાએ પડતું મૂક્યું કપિલના શોનું શૂટિંગ?
કપિલ શર્મા પોતાના શોના સેટ પર બેભાન થઇ જતાં શાહરૂખ ખાન અને અનુષ્કા શર્માએ શૂટિંગ અધૂરું છોડી જવું પડ્યું.
શાહરૂખ ખાન અને અનુષ્કા શર્મા પોતાની આગામી ફિલ્મ 'જબ હેરી મેટ સેજલ'નું પ્રમોશન કરવા માટે 'ધ કપિલ શર્મા શો' પર પહોંચ્યા હતા. પરંતુ ત્યાં પરિસ્થિતિ કંઇક એવી થઇ કે, શાહરૂખ અને અનુષ્કા શોનું શૂટિંગ કર્યા વગર જ પરત ફરી ગયા. શું છે આખો મામલો? જાણો અહીં...

ધ કપિલ શર્મા શો
ઉપલબ્ધ જાણકારી અનુસાર, જ્યારે શાહરૂખ ખાન અને અનુષ્કા શર્મા ઇમ્તિયાઝ અલી સાથે શોનું શૂટિંગ કરવા પહોંચ્યા તે પહેલાં જ કપિલ સેટ પરથી નીકળી ગયા હતા. કપિલ બેક સ્ટેજ હતા, ત્યારે ફરી કપિલની તબિયત બગડી હતી અને તેઓ બેભાન થઇ ગયા હતા.

ફરી બગડી કપિલની તબિયત
કપિલ શર્માને તાત્કિલક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. થોડા અઠવાડિયા પહેલાં જ આ જ રીતે શોના સેટ પર જ કપિલની તબિયત બગડી હતી. તે સમયે તેમને અત્યંત નબળાઇ લાગતાં શૂટિંગ કેન્સલ કરી તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યારે કપિલને બીપીનો પ્રોબ્લેમ હોવાનું બહાર આવ્યું હતું.

શૂટિંગ માટે તૈયાર હતા શાહરૂખ
સૂત્રોના જણાવ્યા અનુસાર, જો કપિલ સ્વસ્થ હોય તો શાહરૂખ ખાન તો એપિસોડ શૂટ કરવા માટે બિલકુલ તૈયાર હતા, પરંતુ કપિલની હાલત બગડેલી હોવાથી તેઓ શૂટિંગ કર્યા વિના જ પરત ફરી ગયા. પોતાના કો-સ્ટાર સાથે સ્ક્રિપ્ટ વાંચતી વખતે જ કપિલની તબિયત બગડી હતી. હવે આવતા અઠવાડિયામાં ફરીથી શૂટિંગ શેડ્યૂલ કરવામાં આવશે.

કપિલની તબિયત માટે જવાબદાર લો TRP?
અહેવાલો અનુસાર, કપિલ શર્મા શોની ટીઆરપી હજુ પણ પહેલા જેટલી હાઇ નથી, કપિલ આ ટીઆરપીને ઉપર લાવવા માટે બનતા તમામ પ્રયત્નો કરી રહ્યાં છે. આ માટે જ થોડા સમય પહેલાં શોમાં કોમેડિયન ભારતીની એન્ટ્રી કરવામાં આવી હતી. કોમેડી શો અને ટીઆરપીના ટેન્શનને કારણે જ તેમની તબિયત વારંવાર લથડી રહી હોવાનું કહેવાય છે.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો





Click it and Unblock the Notifications
