પોતાના જ વિશે એવુ શું બોલી ગઇ ભારતીસિંહ...જાણીને ચોંકી જશો !
કૉમેડિયન ભારતીસિંહની કૉમેડીના તો ઘણા ફેન છે. ભારતીએ હાલમાં જ કહ્યું કે આપણે પોતાના પર હસવુ જોઇએ અને મજાક પર ખોટુ ના લગાડવુ જોઇએ....
કૉમેડિયન ભારતીસિંહની કૉમેડીના તો ઘણા ફેંસ છે. તેનુ હસવુ, તેનુ હસાવવુ લોકોને ઘણુ સારુ લાગે છે. ભારતીની ખાસ વાત એ છે કે જ્યારે પણ તે કૉમેડી કરે છે ત્યારે પોતાની મજાક ઉડાવવામાં પણ પીછેહટ નથી કરતી. આ જ કારણથી તે બધાથી અલગ પડે છે.
આ જ કારણે તે ઘર ઘરમાં લોકપ્રિય બની અને પોતાના આ અંદાજથી લોકોનુ દિલ જીતવામાં સફળ રહી છે. પોતાના પર હસવાની વાતને લઇને ભારતીએ હાલમાં જ કહ્યું કે આપણે પોતાના પર હસવુ જોઇએ અને મજાક પર ખોટુ ના લગાડવુ જોઇએ.
ભારતીએ કહ્યું કે જ્યારે મે કૉમેડી શો ની પ્રતિયોગિતામાં પ્રવેશ કર્યો ત્યારે મે અનુભવ્યુ કે લોકો મારી ઉપસ્થિતિની મજાક ઉડાવી રહ્યા છે, તો એ લોકો પહેલા કંઇ કરે તે પહેલા મે જ મારી મજાક ઉડાવવાનુ શરુ કરી દીધુ.
ભારતીએ કહ્યું કે આપણે પોતાના પર હસવુ જોઇએ અને એ યાદ રાખવુ જોઇએ કે મજાક-મજાક છે અને તેને દિલ પર ન લેવી જોઇએ.
તેણે કહ્યું કે જો તમે પોતાની મજાક ન ઉડાવી શકો તો તમારે બીજાની પણ મજાક ન ઉડાવવી જોઇએ. મને ઘણી વાર લોકો હાથી બોલે છે. તો શું હાથી બની જઇશ ? હું માણસ જ છુ. આમા શું થઇ ગયુ.
તમને જણાવી દઇએ કે ભારતીની હંમેશા તેના વજનને કારણે મજાક ઉડાવવામાં આવતી હોય છે. હાલ તો, ભારતી એક બ્યૂટી પ્રોડક્ટના પ્રચાર માટે ઉત્સાહિત છે.