અમદાવાદમાં ઢોરોને રસ્તે રખડતા કરી દેવા પર થઈ 6 મહિનાની જેલ, અધિકારીઓને ધમકાવવા બદલ બીજી 2 વર્ષની સજા
સ્તે રખડતા ઢોરોને લઈને ગુજરાત હાઈકોર્ટે કડક નિર્દેશ આપ્યા હતા તેમછતાં અમદાવાદમાં પ્રકાશ જયરામ દેસાઈ નામના વ્યક્તિએ પોતાની ગાય રસ્તા પર છોડી દીધી. જાણો કેટલી સજા મળી.
અમદાવાદઃ રસ્તે રખડતા ઢોરોને લઈને ગુજરાત હાઈકોર્ટે કડક નિર્દેશ આપ્યા હતા તેમછતાં અમદાવાદમાં પ્રકાશ જયરામ દેસાઈ નામના વ્યક્તિએ પોતાની ગાય રસ્તા પર છોડી દીધી. હવે આ મામલે કડક વલણ અપનાવીને કોર્ટે પ્રકાશ દેસાઈને 6 મહિનાની જેલની સજા સંભળાવી છે. અધિક સેશન જજ સારંગ વ્યાસે આરોપીને 2 વર્ષની વધારાની સજા સંભળાવી છે. રખડતા ઢોરોને ઉઠાવવા ગયેલા CNCDના અધિકારીઓ ધમકાવવાના કારણે કોર્ટે જયરામને 2 વર્ષની સજા સંભળાવી છે.

ઘટનાની વિગત મુજબ શાહપુરના રહેવાસી જયરામ દેસાઈને 27 જુલાઈ 2019ના રોજ CNCD ટીમના અધિકારીને ધમકાવવા બદલ બે વર્ષની સજા ફટકારવામાં આવી હતી. દેસાઈના પાંચ પશુઓ શાંતિપુરા છાપરા વિસ્તારમાં શાહપુર દરવાજા બહાર રોડ પર રખડતા હતા. આ દરમિયાન તે અધિકારીઓ સાથે ભિડાઈ ગયા અને તેમણે ધમકી પણ આપી. દેસાઈએ ધમકી આપી હતી કે તેઓ એન્ટી કરપ્શન બ્યુરોના અધિકારીઓને પકડાવી દેશે. જે બાદ કોર્ટે દેસાઈને બે વર્ષની કેદની સજા ફટકારી હતી.
દેસાઈ સામે આઈપીસીની કલમ 308, 289, 186 હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. આ સાથે ગુજરાત પોલીસ એક્ટ, પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનિમલ્સ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. કોર્ટે સુનાવણી દરમિયાન છ સાક્ષીઓને સાંભળ્યા હતા. જો કે, બે સરપંચોએ દેસાઈની તરફેણમાં જુબાની આપી કારણ કે તેઓ બંને દેસાઈ સમુદાયના હતા. પરંતુ દરોડો પાડવા ગયેલા નગરપાલિકાના અધિકારીઓએ પુષ્ટિ કરી હતી કે દેસાઈએ પશુઓને રસ્તા પર છોડી દીધા હતા. પશુઓના કારણે રસ્તા પર કોઈને ઈજા થઈ ન હોવાથી દેસાઈ સામે કલમ 308 લાગુ પડતી નથી. પરંતુ દેસાઈને પશુઓને રસ્તા પર છોડી દેવાનો દોષી ઠેરવવામાં આવ્યો હતો. જેના કારણે લોકોના જીવ જોખમમાં મુકાયા હતા.
-
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
