ગુજરાતના જાણીતા 35 બિઝનેસમેનને આંત્રપ્રેન્યોર એવૉર્ડ 2021થી સમ્માનિત કરાયા
35 બિઝનેસમેનને આંત્રપ્રેન્યોર 2021 અવૉર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા હતા.
અમદાવાદઃ કોરોના વાયરસ મહામારીને આજે દોઢ વર્ષ જેટલેૃો સમય વીતી ગયો છે. મહામારીનો આ ગાળો દરેક વર્ગ માટે કપરો બની રહ્યો તેમાં પણ ખાસ કરીને નાના-મોટા વ્યવસાય સાથે સંકળાયેલા આંત્રપ્રેન્યોરને પણ નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે. કેટલાક એવા પણ આંત્રપ્રેન્યોર છે જેમણે પોતાનો વ્યવસાય બંધ કરી દીધો છે. આવા કપરાં સમયમાં પણ એવા કેટલાક વ્યવસાયકારો છે જેઓ લોકો ઉદાહરણ સમાન સાબિત થયા છે.
Recommended Video


આ વ્યવસાયકારોએ કોરોના મહામારીના આ કપરા કાળમાં પણ પોતાની આવડત, સમજણ અને આત્મવિશ્વાસ તેમજ સાહસ સાથે વ્યવસાયને જાળવી રાખ્યો છે. જેથી તેમના કાર્યોથી નવી પેઢી પ્રેરિત થાય તે માટે થ્રી આઈ બ્રધર તેમજ ક્રિયાનક્રિએશન દ્વારા 35 બિઝનેસમેનને આંત્રપ્રેન્યોર 2021 અવૉર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા હતા. સગુન ગ્રુપના સંયોગિતામાં અમદાવાદ ખાતે આયોજિત આ આંત્રપ્રેન્યોર અવૉર્ડ 2021 સમારંભમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલ, ધારાસભ્ય હર્ષ સંઘવી અને ગુજરાતી અભિનેત્રી આરોહી પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલે જણાવ્યુ હતુ કે આ અવૉર્ડ આપવાનો હેતુ એવા ઉદ્યોગકારો કે જેમણે સમાજ માટે સારુ કામ કર્યુ છે, વેપારમાં સારો દેખાવ કર્યો છે તેમને પ્રોત્સાહન પૂરો પાડવાનો અને તે દ્વારા અન્ય ઉદ્યોગકારોને તેમનામાંથી પ્રેરણા મળે તેનો છે. આ બિઝનેસમેનના વિચારો અને કામમાંથી પ્રેરણા લઈને પોતાનો પથ બનાવે. છેલ્લા બે વર્ષથી આ પ્રકારના અવૉર્ડ આપવામાં આવે છે. આવા લોકો સમાજ ઉપયોગમાં પણ જોડાતા હોય છે. હું દરેક બિઝનેસમેનને શુભેચ્છા પાઠવુ છુ.












Click it and Unblock the Notifications
