પાકિસ્તાન દ્વારા ત્રણ ભારતીય બોટનું અપહરણ કરાયું
ગુજરાતની ત્રણ બોટ અને 18 માછીમારોને પાકિસ્તાન મરીન દ્વારા બનાવવામાં આવ્યા બંધક. વધુ વાંચો અહીં.
પોરબંદરઃ અરબી સમુદ્રમાં પાકીસ્તાન મરીન સિક્યોરીટી ત્રાટકી હતી. પાકિસ્તાન મરીન્સે ભારતીય જળસીમામાંથી ત્રણ ભારતીય બોટ અને 18 જેટલા માછીમારોની ઉઠાતંરી કરી હોવાની જાણકારી પ્રાપ્ત થઇ છે. નોંધનીય છે કે આ પહેલા પણ અનેક વાર પાકિસ્તાન મરીન ભારતીય જળસીમામાં આવીને ભારતીય માછીમારોનું અપહરણ કરી ચૂકી છે. તેવામાં આ વધુ એક ઘટના બની છે.
નોંધનીય છે કે સૌરાષ્ટ્રની 3 ફીશીંગ બોટ અને 18 જેટલા માછીમારોને બંધક બનાવતા, માછીમારોએ કોસ્ટગાર્ડની મદદ માંગી છે. ત્યારે ચિંતાની વાત એ છે કે હજુ પણ વધુ બોટોને બંદક બનાવવાનો સીલસીલો પાકિસ્તાન દ્વારા આ રીતે યથાવત રાખવામાં આવ્યો છે. આ પહેલા પણ અનેક વાર ગુજરાતની દરિકા કિનારેથી પાકિસ્તાન દ્વારા ગુજરાતી માછીમારોને બંધક બનાવવામાં આવ્યા છે. જ્યારે જ્યારે ભારતીય કોસ્ટગાર્ડ કોઇ પાકિસ્તાનની બોટ પકડી જાય છે ત્યારે મોટા ભાગે પાકિસ્તાન તરફથી આવી ઘટનાઓને અંજામ આપવામાં આવે છે તેવું મનાઇ રહ્યું છે.