3 july Covid Update : દેશમાં 11,793 કેસ અને 27 મોત નોંધાયા, જાણો આજની કોરોના અપડેટ
ગુજરાતમાં શનિવારના રોજ કોરોના સંક્રમણના 580 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ સાથે છેલ્લા 24 કલાકમાં 391 દર્દીઓ કોરોના મુક્ત થયા હતા. જેના કારણે રાજ્યમાં એક્ટિવ કેસમાં વધારો થયો છે.
3 july Covid Update : ગુજરાતમાં શનિવારના રોજ કોરોના સંક્રમણના 580 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ સાથે છેલ્લા 24 કલાકમાં 391 દર્દીઓ કોરોના મુક્ત થયા હતા. જેના કારણે રાજ્યમાં એક્ટિવ કેસમાં વધારો થયો છે.
આ જિલ્લામાં નોંધાયા આટલા કેસ
આ સાથે જો જિલ્લામાં કોરોના સંક્રમણના આંકડા વિશે વાત કરવામાં આવે તો, અમદાવાદમાં 236, સુરતમાં 106 કેસ, વડોદરામાં 36 કેસ,મહેસાણામાં 29 કેસ, ગાંધીનગરમાં 31 કેસ, વલસાડ 23 કેસ, રાજકોટમાં 8 કેસ નોંધાયા છે.
ભાવનગરમાં 12 કેસ નોંધાયો
કચ્છ અને નવસારીમાં 18-18 કેસ, ભાવનગરમાં 12કેસ, જામનગરમાં 11 કેસ, પાટણમાં 8 કેસ, મોરબીમાં 7 કેસ નોંધાયા છે. બનાસકાંઠા અને સાબરકાંઠામાં 6 કેસ નોંધાયા છે.
ગીર સોમનાથમાં એક નોંધાયો
આણંદ, ખેડા અને સુરેન્દ્રનગરમાં 4-4 કેસ નોંધાયા છે. અમરેલી અને ભરૂચમાં 3-3 કેસ નોંધાયા છે. અરવલ્લી અને પોરબંદરમાં 2-2 કેસ અને ગીર સોમનાથમાં એક નોંધાયો છે.
કુલ 12,18,817 દર્દી સાજા થયા
હાલ રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10,946 થયો છે. આ સાથે રાજ્યમાં કુલ 12,18,817 દર્દી સાજા થયા છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા3478 થઇ છે. જેમાંથી 3 ની હાલત ગંભીર છે, જ્યારે બાકીના લોકોની હાલત સ્થિર છે.
કુલ 11,15,20,334 કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા
રાજ્યમાં કોરોના સંક્રમણમાંથી મુક્ત થવાનો દર 98.83 ટકા છે. આ સાથે છેલ્લા 24 કલાક દરમિયાન 39,438 કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ 11,15,20,334 કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે.
3 july ની અમદાવાદ કોરોના અપડેટ
અમદાવાદના શહેરી વિસ્તારમાં 229 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે, તો ગ્રામ્ય વિસ્તારમાં 7 વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યોછે.
આ સાથે શહેરી વિસ્તારમાં 163 લોકો કોરોના મુક્ત થયા છે. તો અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં 5 રિકવરી નોંધાઇ છે.
જો રસીકરણની વાતકરવામાં આવે તો, અમદાવાદ શહેરી વિસ્તારમાં 3731 અને અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં 496 વ્યક્તિએ કોરોના વેક્સિનનો ડોઝ લીધો છે.
3 july ની રાજકોટ કોરોના અપડેટ
રાજકોટના શહેરી વિસ્તારમાં 7 કેસ નોંધાયા હતા. આ સાથે ગ્રામ્ય વિસ્તારમાં 1 વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
આ સાથેશહેરી વિસ્તારમાં 7 રિકવરી નોંધાઇ છે, આ સાથે ગ્રામ્ય વિસ્તારમાં 3 રિકવરી નોંધાઇ છે.
જો રસીકરણની વાત કરવામાં આવે તો, રાજકોટશહેરી વિસ્તારમાં 3654 અને રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં 791 વ્યક્તિએ કોરોના વેક્સિનનો ડોઝ લીધો છે.
3 july ની ભારત કોરોના અપડેટ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના રવિવારે અપડેટ કરાયેલ ડેટા અનુસાર, ભારતમાં કોરોનાવાયરસના સંક્રમણના 16,103 નવા પોઝિટિવ કેસનોંધાયા છે.
કોવિડ-19 કેસની કુલ સંખ્યા 4,35,02,429 થઈ છે, જ્યારે સક્રિય કેસ વધીને 1,11,711 થઈ ગયા છે. 31 નવી જાનહાનિસાથે મૃત્યુઆંક વધીને 5,25,199 પર પહોંચી ગયો છે.
2,143 કેસનો વધારો નોંધવામાં આવ્યો
મંત્રાલયે જણાવ્યું હતું કે, સક્રિય કેસોમાં કુલ સંક્રમણના 0.26 ટકાનો સમાવેશ થાય છે, જ્યારે રાષ્ટ્રીય કોવિડ રિકવરી રેટ 98.54 ટકાનોંધાયો હતો. 24 કલાકના ગાળામાં સક્રિય કોવિડ કેસ લોડમાં 2,143 કેસનો વધારો નોંધવામાં આવ્યો છે.
કોવિડ રસીના 197.95 કરોડ ડોઝ આપવામાં આવ્યા
કેન્દ્રીય મંત્રાલયના જણાવ્યા અનુસાર ડેઇલી પોઝિટિવિટી રેટ 4.27 ટકા છે, જ્યારે વીકલી પોઝિટિવિટી રેટ 3.81 ટકા નોંધાયો હતો.
આરોગમાંથી સ્વસ્થ થયેલા લોકોની સંખ્યા વધીને 4,28,65,519 થઈ ગઈ છે, જ્યારે કેસમાં મૃત્યુદર 1.21 ટકા નોંધાયો હતો.
દેશવ્યાપી કોરોના રસીકરણ અભિયાન હેઠળ દેશમાં અત્યાર સુધીમાં કોવિડ રસીના 197.95 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.