અમદાવાદમાં સ્કૂલ બસનો થયો અકસ્માત, 2 બાળકો ગંભીર
અમદાવાદની દિવ્યપંથ શાળાનો થયો બસ અકસ્માત. 15 બાળકો ઇજાગ્રસ્ત, 2ની હાલત ગંભીર. જાણો વધુ આ અંગે અહીં.
અમદાવાદમાં મેમનગરમાં એક સ્કૂલ બસનો ટ્રક સાથે અકસ્માત થતા 12 થી વધુ બાળકો ઇજાગ્રસ્ત થયા છે અને 2 બાળકોની હાલત ગંભીર છે. નોંધનીય છે કે અમદાવાદની દિવ્યપંથ સ્કૂલની બસનો નવાપુરા પાટિયા પાસે એક ફૂલ સ્પીડમાં આવતી ટ્રક સાથે અકસ્માત થતા આ દુર્ધટના સર્જાઇ હતી. જો કે સ્કૂલ બસનો અકસ્માત થતા આસપાસથી લોકો તરત જ દોડી આવ્યા હતા બાળકોની મદદ કરવા માટે. અને વિદ્યાર્થીઓને સોલા અને ઝાયડસ ખસેડવામાં આવ્યા હતા.
જો કે સ્કૂલ બસના અકસ્માત પછી રોષે ભરાયેલી ભીડે આગ ચાંપી કરીને હાઇ વે ચક્કાજામ કર્યો હતો. નોંધનીય છે કે અમદાવાદમાં બેફામ વહાનો ચલાવાનો સિલસિલો લાંબા સમયથી ચાલી આવી રહ્યો છે. અને આ જ કારણ છે કે મોટા ભાગના અકસ્મતો વધુ પડતી સ્પીડના કારણે જ થાય છે. ત્યારે સ્કૂલના બાળકોની બસનો અકસ્માત થયા પછી પ્રશાસન અને નાગરિકો દ્વારા ટ્રાફિકના નિયમોનું યોગ્ય પાલન થાય તો આવા અકસ્માતો ટાળી શકાય છે.