અમદાવાદ-ગાંધીનગર મેટ્રો રેલ 2021 પહેલાં શરૂ નહીં થાય
ગુજરાત સરકારે પોતાના જવાબમાં જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ માટેની નોડલ એજન્સી MEGAએ પ્રોજેક્ટ માટે ફાળવેલા રૂપિયા 377.50 કરોડ રૂપિયામાંથી માત્ર રૂપિયા 14.23 કરોડ ખર્ચ કર્યા છે. ફાળવવામાં આવેલા કુલ ફંડના તે માત્ર 3 ટકા છે. આ વર્ષના બજેટમાં પણ બીજા રૂપિયા 500 કરોડની ફાળવણી કરવામાં આવી છે.
આ અંગે અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટના અધિકારીઓનું કહેવું છે કે રાજ્ય સરકાર તરફથી મંજૂરી નહીં મળતી હોવાથી પ્રોજેક્ટ પર કામ કરવાની ઝડપ ઓછી છે. તેમણે એમ પણ જણાવ્યું કે વચ્ચે આવેલી વિધાનસભાની ચૂંટણીઓની આચારસંહિતાને કારણે પણ પ્રોજેક્ટના કામની મંજૂરીનું ઘણું કામ અટકી પડ્યું હતું. તેના કારણે કામમાં વિલંબ થઇ રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે ગયા વર્, રાજ્ય સરકારે કેન્દ્ર સરકારના કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રાલયનો સંપર્ક સાધ્યો હતો. જેમાં કેન્દ્ર સરકાર પાસેથી આ પ્રોજેક્ટ માટે 25 ટકા ફંડિંગની માંગણી મૂકવામાં આવી હતી.