અમરેલી:સાથી કર્મચારી પર ગોળીબાર કરનાર પોલીસ કર્મી ઝડપાયો
અમરેલીના સીટી પોલીસ સ્ટેશનમાં શનિવારના રોજ બે પોલીસ કર્મી વચ્ચે તકરાર થઈ હતી અને આ ઝઘડો ઉગ્ર બનતા ભૂપત તડવી નામના પોલીસ કર્મચારીએ મનસુખ ચાવડાના પેટમાં ગોળી મારી દીધી હતી.
અમરેલીના સીટી પોલીસ સ્ટેશનમાં શનિવારના રોજ બે પોલીસ કર્મી વચ્ચે તકરાર થઈ હતી અને આ ઝઘડો ઉગ્ર બનતા ભૂપત તડવી નામના પોલીસ કર્મચારીએ મનસુખ ચાવડાના પેટમાં ગોળી મારી દીધી હતી અને ત્યાર બાદ નાસી ગયો હતો. જો કે, પોલીસે આ આરોપીની એક જ દિવસમાં ધરપકડ કરી લીધી હતી. અમરેલીના સીટી પોલીસ સ્ટેશનમાં ફોન પર વાત કરવા જેવી નજીવી બાબતે ભૂપત તડવી તથા મનસુખ ચાવડા વચ્ચે ઝગડો થયો હતો.
ભૂપત તડવી ઉશ્કેરાતા આ નાની અમસ્તી વાત મોટી બની ગઇ હતી. ગોળી વાગવાને કારણે અન્ય પોલીસ કર્મચારી મનસુખ ચાવડા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. પોલીસ આ મામલે આગળની કાર્યવાહી કરી છે. એક પોલીસ કર્મચારી તરીકે નાનકડી વાતમાં ગોળી મારવાનું કૃત્ય ખૂબ જ અયોગ્ય કહેવાય. માણસને સત્તા સાથે જવાબદારી પણ મળતી હોય છે અને સત્તાનો દુરૂપયોગ અને જવાબદારીનું હનન ક્યારેય ન થાય તો જ સમાજમાં શાંતિ અને સુરક્ષા જળવાઇ રહે.