ગુજરાતમાં લવ જિહાદનો બીજો મામલો સામે આવ્યો, યુવતીએ આત્મહત્યા કરી
ગુજરાતમાં સતત બીજા દિવસે લવ જેહાદનો મામલો સામે આવ્યો છે. અહીં વડોદરામાં એક યુવતીને બીજા ધર્મના વ્યક્તિએ ફસાવી હતી. જે બાદ યુવતીના માતા-પિતાએ પોલીસને મદદની વિનંતી કરી હતી. હવે રાજકોટમાં પણ આવી જ એક ઘટના બની છે. જોકે, અહીંની છેતરપિંડીનો અહેસાસ કર્યા બાદ લવ જેહાદના પીડિતાએ આપઘાત કરી લીધો હતો. એક સ્યુસાઇડ નોટ પણ મળી આવી છે. જેમાં તેણે જણાવ્યું હતું કે તેના માતાપિતા અને સાસુ-સસરામાં કોઈ દોષ નથી. તેણે લખ્યું કે સાહેબ, આ લોકોને (જેણે આત્મહત્યા કરવા દબાણ કર્યું હતું) છોડશો નહીં.

આરોપીની ઓળખ જમીલ સોલંકી તરીકે થઇ
પત્રકારના જણાવ્યા મુજબ આરોપીની ઓળખ જમીલ સોલંકી તરીકે થઈ છે. તેણે પ્રેમજાલમાં યુવતીને પોતાનો ધર્મ છુપાવીને ફસાવી હતી. તે તેની સાથે લિવ ઇન રિલેશનશિપમાં રહેતો હતો. યુવતીના પરિવારજનોએ તેના ગુમ થયાની રિપોર્ટ નોંધાવી હતી. બાદમાં મહિલાને ખબર પડી કે તે લવ જેહાદનો ભોગ બની હતી અને તેણે જમીલ સાથેના તેના બધા સંબંધો તોડી નાખ્યા હતા. તે ઘરે પરત આવી અને તેના માતાપિતા સાથે રહેવા લાગી.

યુવતીએ 2 સપ્ટેમ્બરે આત્મહત્યા કરી
માતાપિતાને જયારે પુત્રીની કહાની ખબર પડી. ત્યારે તેમને આશરે ત્રણ મહિના પહેલા બીજા છોકરા સાથે તેની સગાઇ કરાવી દીધી. બીજી તરફ, જ્યારે જમીલને તેના વિશે જાણ થઈ ત્યારે તેણે મહિલાના મંગેતરને ધમકાવવાનું શરૂ કર્યું. તેણે યુવતીના મંગેતર, ભાભી અને ભાઇને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બધાથી પરેશાન થઈને યુવતીએ 2 સપ્ટેમ્બરના રોજ આત્મહત્યા કરી લીધી. તેની સુસાઇડ નોટ મળતાં તેના માતાપિતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

સુસાઇટ નોટ અને વહાર્ટસપ ચેટને આધારે ધરપકડ કરી
આ કેસમાં યુનિવર્સિટી પોલીસે નોટ અને વોટ્સએપ ચેટ જેવા પુરાવાના આધારે જમિલ સહિત 4 સામે એફઆઈઆર નોંધી હતી. બાદમાં આરોપી જમીલ સોલંકી અને તેની માતા અસ્માબેનની ધરપકડ કરવામાં આવી હતી. જોકે, અન્ય લોકો નાસી ગયા હતા. યુવતીના પિતા અને પરિવારજનો કહે છે કે આ પ્રેમને કારણે અમે અમારી છોકરી ગુમાવી દીધી છે. ગુનેગારોને સખત સજા કરો. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.
મંદી: ગુજરાતમાં 450 હીરા કારીગરોને નોકરીથી કાઢી મુક્યા, કંપની પણ બંધ થઇ