For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમદાવાદઃ સાબરમતીમાં કરાશે અટલજીના અસ્થિનું વિસર્જન

|
Google Oneindia Gujarati News

ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનું 16 ઓગસ્ટના રોજ સારવાર દરમિયાન નિધન થયું હતું. જણાવી દઈએ કે યૂરિન ઈન્ફેક્શન થવાના કારણે તેઓ હોસ્પિટલમાં દાખલ હતા. સારવાર દરમિયાન જ અટલજીએ અંતિમ શ્વાસ લીધા. સાબરમતી નદીમાં અટલજીના અસ્થિનું વિસર્જન કરવામાં આવશે. અટલજીના અસ્થિ ગુજરાત લાવવામાં આવ્યાં છે.

જીતુ વાઘાણી લાવ્યા અસ્થિ

જીતુ વાઘાણી લાવ્યા અસ્થિ

ભાજપ ગુજરાત પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી દિલ્હીથી અસ્થિ કળશ ગુજરાત લાવ્યા છે. હાલ શહેરના વિવિધ વિસ્તારોમાંથી કળશ યાત્રા નીકળી રહી છે, જેમાં કેટલાય લોકો જો઼ડાયા છે. જણાવી દઈએ કે 16 ઓગસ્ટના રોજ અટલજીનું નિધન થયું હતું. દિલ્હીના સ્મૃતિ સ્થળ પર તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. જૂના સંઘ કાર્યાલય ખાડિયાથી કળશ યાત્રા નીકળી છે.

અટલજી અમર રહોના નારા લાગ્યા

અટલજી અમર રહોના નારા લાગ્યા

યાત્રા દરમિયાન અટલજી અમર રહોના લોકો નારા લગાવી રહ્યા છે. આ કળશ યાત્રામાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ડેપ્યુટી સીએમ નિતિન પટેલ સહિતના નેતાઓ હાજર રહ્યા છે. અટલજીના અસ્થિ દર્શન માટે માનવ મહેરામણ ઉમટી પડ્યું છે. શહેરના વિવિધ વિસ્તારોમાંથી કળશ યાત્રા નીકળી રહી છે. જણાવી દઈએ કે ગુજરાતની 6 નદીઓમાં અટલજીના અસ્થિનું વિસર્જન કરવામાં આવશે.

કળશ યાત્રા

કળશ યાત્રા

ગોલવાડ-ખાડિયાથી યાત્રાનું પ્રસ્થાન થયું જે રાયપુર ચકલા, રાયપુર દરવાજા, ઢાળની પોળ, મ્યુનિસિપલ કોર્પોરેશન, ખમાસા, લોકમાન્ય તિલક ગાર્ડન થઈને સાબરમતી રિવર્ફ્રન્ટ સુધી આવશે જ્યાં અસ્થિનું વિસર્જન કરવામાં આવશે.

English summary
atalji's kalash yatra started from khadia and asthi visharjan will be in sabarmati river.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X