પંજાબના CM ભગવંત માન અને અરવિંદ કેજરીવાલ ગુજરાતના બે દીવસના પ્રવાસ પર
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આજથી ગુજરાતની બે દિવસીય મુલાકાત પર છે. આમ આદમી પાર્ટી (AAP) ના રાજ્ય મહાસચિવ મનોજ સોરઠિયાએ મીડિયાને જાણકારી આપતા જણાવ્યું હતું કે બંને નેતાઓ આજે આદિવ
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આજથી ગુજરાતની બે દિવસીય મુલાકાત પર છે. આમ આદમી પાર્ટી (AAP) ના રાજ્ય મહાસચિવ મનોજ સોરઠિયાએ મીડિયાને જાણકારી આપતા જણાવ્યું હતું કે બંને નેતાઓ આજે આદિવાસી બહુલ દાહોદ જિલ્લાના દાહોદ શહેરમાં સંયુક્ત રીતે જાહેર સભાને સંબોધશે. આ પછી તેઓ વડોદરા શહેરમાં 'તિરંગા યાત્રા'માં પણ ભાગ લેશે.

AAPના રાજ્ય મહાસચિવ મનોજ સોરઠિયાના જણાવ્યા અનુસાર રવિવારે કેજરીવાલ અને માન આદિવાસી બહુલ વલસાડ જિલ્લાના ધરમપુર અને પછી સુરત જિલ્લાના કડોદરા ખાતે જાહેર સભાને સંબોધશે. આ બે દિવસો દરમિયાન, AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માન ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી માટે વ્યૂહરચના ઘડવા રાજ્યના સામાજિક અને અન્ય ક્ષેત્રોના નેતાઓ સાથે બેઠક કરશે. ભારતીય જનતા પાર્ટી (BJP) શાસિત ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.












Click it and Unblock the Notifications
