પ૦૦થી વધુ જાતના પ૦ હજારથી વધુ રોપાઓનું પ્રદર્શન
અમદાવાદ, 25 જાન્યુઆરી: શહેરી વિકાસ મંત્રી આનંદીબેન પટેલે આજે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર ફ્લાવર શોને ખુલ્લો મુક્યો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા બાગાયત ખાતાના સંયુક્ત ઉ૫પક્રમે યોજાયેલા આ ફલાવર શો માં અંદાજે પ૦ હજારથી વધુ રોપાઓને પ્રદર્શિત કરાયા છે.
આ ફલાવર શો ને ખુલ્લો મુકતાં મંત્રીએ જણાવ્યું હતું કે, આ પ્રકારનો ફ્લાવર શો સર્વપ્રથમ યોજાયો છે. વિદેશમાં ફૂલોની નિકાસ કરતા ખેડૂતો વચ્ચે સ્પર્ધાનું પણ આયોજન અહીં કરાયું છે. જેના પગલે ફૂલોનું ઉત્પાદન અને નિકાસનું પ્રમાણ વધશે. મંત્રીએ જણાવ્યું હતું કે, ફૂલોના શોખીન નગરજનો માટે પણ આ પ્રદર્શન દર્શનીય બનશે.
ગ્લોબલ વોર્મિંગનો પડકાર વિશ્વ સમધા ઊભો થયો છે ત્યારે તેના પડકાર માટે આ ફ્લાવર શો એક આગવું પીઠબળ પુરું પાડશે. આ સ્થળે ૧૬ હજાર જેટલા રંગબેરંગી પુષ્પોથી બનાવાયેલી “SAVE TREE” તથા હાથી-મોર જેવા પશુ-પક્ષીઓની ફૂલોથી બનાવાયેલી પ્રતિકૃતિ આગવું આકર્ષણ બની હતી. આ ફ્લાવર શો ર૯મી જાન્યુઆરી, ર૦૧૩ સુધી ચાલનાર છે.
આ પ્રસંગે મેયર અસિતભાઈ વોરા, ડેપ્યુટી મેયર દર્શનાબેન વાઘેલા, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન, મ્યુનિસિપલ કમિશનર તથા અન્ય અધિકારીઓ, હોદ્દેદારો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.