મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઢડામ ખાતે નવ નિર્મિત લીંબતરું યાત્રી ભવનનું લોકાર્પણ કર્યું
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુપ્રસિદ્ધ તીર્થ ક્ષેત્ર ગઢડામાં 20 કરોડ રૂપિયાના ખર્ચે નવ નિર્મિત લીંબતરું યાત્રી ભવનનું લોકાર્પણ કર્યું હતું. આ સાથે તેમને શ્રીજીના પૂજન અર્ચન કર્યા હતા.
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુપ્રસિદ્ધ તીર્થ ક્ષેત્ર ગઢડામાં 20 કરોડ રૂપિયાના ખર્ચે નવ નિર્મિત લીંબતરું યાત્રી ભવનનું લોકાર્પણ કર્યું હતું. આ સાથે તેમને શ્રીજીના પૂજન અર્ચન કર્યા હતા. આ પ્રસંગે નવસારીના સાંસદ અને પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ, પૂર્વ મંત્રી અને ધારાસભ્ય સૌરભ પટેલ, આત્મારામ પરમાર તેમજ ગોપીનાથજી મંદિરના ટ્રસ્ટીઓ, પૂજ્ય રાકેશ પ્રસાદજી મહારાજ તેમજ અગ્રણીઓ અને ભાવકો પણ ઉપસ્થિત રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગઢડાના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં 22 લાખના ખર્ચે બનાવવામાં આવેલા 150 લીટર પ્રતિ મિનિટ ક્ષમતાના PSA ઓક્સિજન પ્લાન્ટનું વર્ચ્યુએલ લોકાર્પણ કર્યું હતું. આ પ્લાન્ટ શરૂ થવાને કારણે જરૂરિયાતના સમયે આસપાસના 80 ગામોના લોકોને લાભ મળી શકશે.
આ પ્લાન્ટ શરૂ થવાને કારણે 80 ગામોના લોકોને તેનો લાભ મળશે. કોરોનાની બીજી લહેરમાં ઓક્સિજનની ભયંકર અછત સર્જાયા બાદ બોટાદ જિલ્લાની કોવિડ હોસ્પિટલમાં રાજ્ય સરકાર અને દાતાઓના સહયોગ દ્વારા ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે.