For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગોંડલના મગફળી ગોડાઉનમાં હેતુપૂર્વક આગ લગાવાઈ હોવાની CIDને શંકા

ગોંડલના મગફળી ગોડાઉનમાં ઇરાદાપૂર્વક લગાવવામાં આવી હતી. આગ. આ વાત સીઆઇડીની તપાસમાં બહાર આવી છે. જો કે અધિકૃત જાહેરાત હજી બાકી છે. જાણો આ સમાચાર અંગે વધુ અહીં.

By Lekhaka
|
Google Oneindia Gujarati News

રાજ્યમાં બહુ ગાજેલા ગોંડલ મગફળી ગોડાઉનના આગની ઘટનામાં સીઆઇડી ક્રાઇમ હવે ધરપકડ શરૂ કરે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં જ મગફળીના ગોડાઉનમાં આગ લાગ હતી. અને આગમાં 25થી 30 કરોડની મગફળીનો જથ્થો બળી ગયો હોવાનું અનુમાન છે તે સમયથી આ ઘટનામાં મોટા માથા તરફ શંકાની સોય ખેંચાય તેવા તમામ મુદ્દા સામે આવી રહ્યાછે. મગફળીના ભાવ તળિયે બેસી જતા સરકાર ટેકાના ભાવે ખેડૂતોની મગફળી લેવા આગળ આવી હતી. અને તે મગફળીન જથ્થો આ ગોડાઉનમાં ભરવામાં આવ્યો હતો. પરંતુ તેમાં દલાલો, કમિશનબાજો અને વહીવટદારોએ ખેલ પાડીને ભોળા ખેડૂતો પાસેથી ૭-૧રના દાખલા વગેરે દસ્તાવેજો લઈને તેનું વેચાણ કરીને ખિસ્સા ભરી લીધાનું કૌભાંડ ભૂગર્ભમાંથી સપાટી પર આવી રહ્યું છે.

gondal fire

તપાસ કરતા જાણવા મળ્યું છે કે આ ગોડાઉનમાં ઈલેક્ટ્રિક કનેક્શન પણ ન હતું. આમ છતાં આગ કઈ રીતે લાગી તે મોટો પ્રશ્ન છે. હાલમાં સીઆઇડી ક્રાઇમે કેટલીક તપાસ બાદ નિષ્કર્શ આપ્યો છે કે ગોડાઉનમાં લાગેલી આગ બહારથી જ લગાવવામાં આવી હતી અને આ શંકા હેઠળ ગોડાઉન માલિક સહિતના કેટલાક શખ્સો સામે ઇરાદા સાથે સંપત્તિનો નાશ કરવાની ઇન્ડિયન પીનલ કોડની કલમ 436 હેઠળ ગુનો દાખલ કરવામાં આવશે. અને વધુ તપાસ હાથ ધરવામાં આવશે. નોંધનીય છે કે ગોંડલની આ આગ માટે પહેલાથી જ આશંકા સેવાઇ રહી હતી કે તે કાવતરાંના ભાગ હેઠળ લગાવવામાં આવેલી આગ છે.

English summary
CID Crime suspected to have been set fire to Gondal's groundnut godown.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X