SEBI દ્વારા ફટકારવામાં આવેલ દંડ મામલે CM રૂપાણીની સ્પષ્ટતા
ગુરૂવારે સમાચાર આવ્યા હતા કે, સેબી દ્વારા સીએમ રૂપાણીની કંપની પર 15 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છેઆ મામલે વિજય રૂપાણીએ ટ્વીટ કરી સફાઇ આપી છેઆ અંગે વધુ વાંચો અહીં...
સેબી દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણીની કંપની પણ અયોગ્ય વ્યાપારિક ગતિવિધિઓ અને સેબીના નિયમના ઉલ્લંઘન માટે 15 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. વિજય રૂપાણીની હિંદુ અખંડ પરિવાર કંપની સહિત 22 કંપનીઓ પર સેબીએ દંડ ફટકાર્યો છે. સેબી અનુસાર, વર્ષ 2011માં જાન્યુઆરીથી લઇને જૂન સુધીમાં આ હેરફેર કરવામાં આવી હતી. આ મામલે વિજય રૂપાણીએ ટ્વીટ કરી પોતાનો પક્ષ સ્પષ્ટ કર્યો હતો.
વિજય રૂપાણીના ઓફિશિયલ ટ્વીટર પેજ પર કરવામાં આવેલ ટ્વીટમાં લખવામાં આવ્યું છે કે, સેબીના એક અધિકારીએ 6 વર્ષ બાદ કંઇ સાંભળ્યા વિના 22 લોકો પર દંડ ફટકાર્યો છે, જેમાંના એક વિજય રૂપાણી છે. શ્રેણી બદ્ધ કરવામાં આવેલ ટ્વીટમાં આગળ લખવામાં આવ્યું છે કે, જે ઓર્ડરના આધારે આ સમાચાર છાપવામાં આવ્યા છે, તે સેબી ટ્રિબ્યુનલ દ્વારા રદ્દ કરવામાં આવ્યો હતો. આ સાથે જ તેમણે ટ્વીટમાં એ દસ્તાવેજની તસવીર પણ પોસ્ટ કરી હતી.
Here is the copy of order passed by the Securities Appellate Tribunal, Mumbai on 8/11/2017 in this matter. @bsindia pic.twitter.com/fkFUWOSa7c
— Vijay Rupani (@vijayrupanibjp) November 9, 2017