''ગુજરાતના માર્ગ વિકાસે સમગ્ર દેશ અને દુનિયાનું ધ્યાન ખેંચ્યું છે''
આગામી સમયમાં રાજ્યના પ્રથમ એકસપ્રેસ-વે અમદાવાદ-ધોલેરા ૧૬૦ કિ.મી.ના માર્ગનું નિર્માણ કરવામાં આવશે. સુરત-સચિન-નવસારીને ટવીનસીટી માટે રર કરોડની જોગવાઇ કરી છે. આમ અનેકવિધ નવીનત્તમ માર્ગો માટે રાજ્ય સરકારે આ વર્ષના બજેટમાં અનેકગણી જોગવાઇ કરી છે. ઉપરાંત રૂર્બન પ્લાન્ટમાં રપ૦થી ઓછી વસતી ધરાવતા ગામોમાં માર્ગ સુવિધા, આદિવાસી પરામાં માર્ગ સુવિધા તેમજ ખાસ અંગભૂત યોજના હેઠળ રપ૦થી ઓછી વસતી ધરાવતા ગામોમાં માર્ગની સુવિધા આપવામાં આવે છે. ઉપરાંત લોકભાગીદારી થકી અનેકવિધ કામો હાથ ધરાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ અન્ય રાજ્યોને રૂા. ૩,૦૦૦થી રૂા. ૧૪,૦૦૦ કરોડ સુધીની સહાય મળે છે. તેની સામે ગુજરાતને માત્ર રૂા. ૧પ૦૧ કરોડની જ સહાય મળે છે. એ જ રીતે રેલવે ઓવરબ્રીજના કામોના નિર્માણ માટે સમયસર મંજૂરીઓ મળતી નથી. ઓવરબ્રીજની આજુબાજુના એપ્રોચ રોડ તૈયાર છે પણ રેલવે તેની મંજૂરી આપતી નથી. આમ કેન્દ્ર દ્વારા સતત ગુજરાતને અન્યાય કરવામાં આવી રહ્યો છે.