સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સતત ઘટાડાને પગલે તંત્ર ચિંતામાં, ખેડૂતોને મળતું પાણી બંધ
સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સતત ઘટાડો થતો હોવાથી બુધવારથી ખેડૂતોને પાણી આપવાનું પણ બંદ કરવામાં આવ્યું છે. જેના કારણે ખેડૂતોની મુશ્કેલી વધી છે.
ગુજરાતની જીવાદોરી ગણતા સરદાર સરોવર ડેમની સપાટી સતત ઘટી રહી છે અને બુધવારથી ખેડૂતોને પાણી આપવાનું પણ બંદ કરવામાં આવ્યું છે. સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સતત ઘટાડો થતા હવે તંત્ર પણ ચિંતામાં પડ્યું છે. સતત જળસ્તરમાં ઘટાડો નોંધાઇને હાલની હાલમાં ડેમની સપાટી 106.01 મીટર થઈ ગઇ છે. જો કે IBPT ટર્નલ માંથી હાલ 10,397 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે અને નર્મદા નદીમાં ગોડબોલે ગેટ માંથી 620 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. પણ હકીકત એછે કે ડેમમાં પાણીની આવક બિલકુલ બંધ થઇ ગઇ છે. તો બીજી તરફ નીર ભરવા માટે નર્મદા કેનાલમાં 9,319 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
જોકે ખેડૂતોને અત્યારે પણ સિંચાઇના પાણીની અછત છે ત્યારે હજી પણ પાણી કાપ રહેશે તો પરિસ્થિત ઘણી વણસી શકે છે. નોંધનીય છે કે ઉપરવાસમાંથી હાલમાં તો પાણીની આવક બંધ થઈ ગઈ છે. હાલ ડેમની સપાટી ૧૦૮.૪૫ મીટર છે. ડેમમાં ચાલુ વર્ષે ૧૩૧.૦૫ મીટર સુધી પાણી હતું જે ગયું કયાં? એવો પ્રશ્ન પણ વિધાનસભામાં પૂછવામાં આવ્યો હતો.
વિધાનસભામાં ધારાસભ્યએ વિધાનસભામાં પાણી મુદ્દે પ્રશ્ન ઉઠાવ્યો હતો. હાલ આઈબીપીટી ટર્નલમાંથી ૧૦૪૨૭ કયુસેક પાણી છોડાઇ રહ્યું છે. નર્મદા નદીને જીવંત રાખવા ગોડબોલે ગેટમાંથી ૬૦૦ કયુસેક પાણી છોડાયુ છે. દરમિયાન પાવર હાઉસ બંધ થતા સરકારને કરોડો રૂપિયાની ખોટ જઈ રહી છે. હવે પાણી જો આજથી બંધ કરવામાં આવે તો ગુજરાત ભરના ખેડૂતો શુ કરશે તે મોટો પ્રશ્ન છે.