ગુજરાતઃ પૂર્વ મંત્રી બાબરભાઈ તડવીનુ કોરોનાથી નિધન, કોંગ્રેસમાં શોકની લહેર
ગુજરાતમાં છોટા ઉદેપુર જિલ્લા સ્થિત સંખેડાના પૂર્વ કોંગ્રેસ ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ મંત્રી બાબરભાઈ તડવીનુ નિધન થઈ ગયુ છે.
છોટા ઉદેપુરઃ ગુજરાતમાં છોટા ઉદેપુર જિલ્લા સ્થિત સંખેડાના પૂર્વ કોંગ્રેસ ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ મંત્રી બાબરભાઈ તડવીનુ નિધન થઈ ગયુ છે. તેઓ 80 વર્ષના હતા. તેમને કોરોના વાયરસનુ સંક્રમણ હતુ. રિપોર્ટ કોરોના પૉઝિટિવ આવ્યા બાદથી જ તે વડોદરાની હોસ્પિટલમાં ઈલાજ કરાવી રહ્યા હતા. સવારના સમયે તેમણે દમ તોડી દીધો. આનાતી કોંગ્રેસમાં શોકની લહેર દોડી ગઈ. તેમને પાર્ટીના વરિષ્ઠ નેતા માનવામાં આવતા હતા.
બાબરભાઈ તડવીને વર્ષ 1990માં જનતા દળની ટિકિટથી પહેલી વાર વિધાનસભાની ચૂંટણી લડી હતી. પછી 1995 અને 1998માં કોંગ્રેસની ટિકિટથી મેદાનમાં ઉતર્યા અને બંને વાર જીત મેળવી. તે સંખેડાથી સતત ત્રણ વાર ધારાસભ્ય રહ્યા. પોતાની રાજકીય સફર દરમિયાન તડવી એક્સાઈઝ વિભાગ અને આદિજાતિ વિભાગના મંત્રી પણ રહ્યા. તેમણે વર્ષ 2002માં પણ ચૂંટણી લડી પરંતુ ભાજપના ઉમેદવારે તેમને જીતવા ન દીધા. તે સતત બે વાર એટલે કે 2002 અને 2007માં ભાજપના ઉમેદવારથી હાર્યા.
ઓરિસ્સાઃ રાજ્ય સરકારે રુ.5358 કરોડના રોકાણને આપી મંજૂરી