ગાંધીનગરના બિશપનો પત્ર: રાષ્ટ્રવાદી તાકાતથી બચવા કરો પ્રાર્થના
ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા ગાંધીનગરના એક ચર્ચના પ્રધાન પાદરીએ લોકોને મતદાન પહેલાં એક ખુલ્લો પત્ર લખ્યો છે. પાદરીએ આ પત્રમાં પોતાના સમુદાયના લોકોને અપીલ કરી છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા ગાંધીનગરના એક ચર્ચના પ્રધાન પાદરીએ લોકોને મતદાન પહેલાં એક ખુલ્લો પત્ર લખ્યો છે. પાદરીએ આ પત્રમાં પોતાના સમુદાયના લોકોને અપીલ કરી છે કે, તેઓ માનવીય મૂલ્યો ધરાવતા નેતાઓની જીતની પ્રાર્થના કરે. ગાંધીનગર આર્ચબિશપ થૉમસ મેકવાને પત્રમાં પ્રાર્થના કરતા લખ્યું છે કે, ગુજરાતમાં ચૂંટણીની તારીખોની જાહેરાત થઇ ગઇ છે. આ ચૂંટણીના પરિણામો દેશ માટે મહત્વપૂર્ણ છે. આ આપણા દેશનું ભવિષ્ય નક્કી કરશે. આપણા દેશની ધર્મનિરપેક્ષતા અને લોકતંત્ર જોખમમાં છે. દેશમાં માનવ-અધિકારોનું ઉલ્લંઘન થઇ રહ્યું છે. દેશમાં બંધારણીય મૂલ્યોનું હનન થઇ રહ્યું છે. ઓબીસી, પછાત, લઘુમતિ ધરાવતા લોકો અને ગરીબોમાં અસુરક્ષાનો ભાવ વધી રહ્યો છે. દેશભરમાં રાષ્ટ્રવાદી તાકાતો ચરમસીમાએ છે. આમારી પ્રાર્થના દેશને રાષ્ટ્રવાદી તાકાતોથી પણ બચાવશે.

તેમણે પોતાના પત્રમાં કેટલીક ઐતિહાસિક ઘટનાઓનો ઉલ્લેખ પણ કર્યો છે. તેમણે લખ્યું છે કે, 1571માં લેપેંટોની લડાઇમાં યુરોપને બચાવવામાં, તમામ દેશોની કમ્યુનિસ્ટ સરકારો અને તાનાશાહોની સત્તા પલટાવવામાં આપણી આસ્થા અને મધર મેરીએ ખૂબ મદદ કરી હતી. થૉમસ મેકવાને આ પત્રમાં લોકોને આગ્રહ કર્યો છે કે, ગુજરાત રાજ્યના બિશપ હોવાથી હું તમને અનુરોધ કરું છું કે, તમે એવી પ્રાર્થનાઓ કરો, જેનાથી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં એ લોકો જીતે જે આપણા બંધારણ પ્રત્યે વફાદાર રહે અને કોઇ ભેદભાવ વિના દરેક વ્યક્તિનું સન્માન કરે.
-
ઈરાન સંઘર્ષ ચર્ચાઓ વચ્ચે ટ્રમ્પે નાટોના સમર્થનથી નારાજગી વ્યક્ત કરી -
કેરળના તમામ ૧૪૦ વિધાનસભા મતવિસ્તારોમાં સુરક્ષાના કડક પગલાં સાથે મતદાન શરૂ થયું -
ભૂતને પીપળો મળી જાય, ઓનલાઈન સ્ટોક ટ્રેડિંગ કૌભાંડમાં પુણેના ડૉક્ટર સાથે 12 કરોડની ઠગાઈ -
પત્નીને પતાવી દેવાનુ કાવત્રું રચ્યું હતું હવાઈના ડૉક્ટર ગેરહાર્ટ કોનિગને, દોષી ઠેરવવામાં આવ્યો -
ઇન્દોરના કોંગ્રેસ કાઉન્સિલર ફૌઝિયા શેખ આલીમે વંદે માતરમ ગાવાનો ઇનકાર કરતાં રાજકીય વિવાદ સર્જાયો -
VerSe Innovation એ પ્રસન્ના પ્રસાદની CPTO તરીકે નિમણૂક કરી; AI ક્ષેત્રે નવા સંશોધનો પર આપશે ભાર -
આસામની ૧૨૬ વિધાનસભા બેઠકો માટે મતદાન શરૂ -
ઈરાન-અમેરિકા યુ્દ્ધને પગલે ખાદ્યપદાર્થો મોંઘા થશેઃ વિશ્વ બેંકે આપી ચેતવણી -
ઈરાન યુદ્ધવિરામથી કામચલાઉ રાહત મળી, પરંતુ ઘણા રાષ્ટ્રો માટે ઈંધણ સંકટ હજુ પણ યથાવત -
કર્ણાટક પેટાચૂંટણી: રાજકીય પ્રતિષ્ઠા વચ્ચે બાગલકોટ અને દાવણગેરે દક્ષિણમાં મતદાન ચાલુ -
પુડુચેરી વિધાનસભા ચૂંટણીમાં 9.50 લાખ મતદારો સાથે કડક સુરક્ષા વચ્ચે મતદાન શરૂ થયું -
UN નો અહેવાલ: 2023 થી 2025 દરમિયાન વધતી હિંસા વચ્ચે વૈશ્વિક સ્તરે 1,000 થી વધુ માનવતાવાદી કામદારો માર્યા ગયા












Click it and Unblock the Notifications
