BJP માટે પ્રચાર કરી રહ્યાં GPP ના ધારાસભ્ય
નલિન કોટડિયા પેટાચૂંટણીમાં ભાજપ માટે પ્રચાર કરી રહ્યાં છે. નલિન કોટડિયાએ કહ્યું હતું કે બધા લોકો રાજ્યમાં વિકાસના કાર્યોથી પ્રભાવિત થઇને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવા માંગે છે. હું તેમના શાસનમાં રાજ્યમાં થયેલા વિકાસથી ખુશ છું. ભાજપમાં સામેલ થવાના નિર્ણય અંગે તેમને કહ્યું હતું કે નરેન્દ્ર મોદીએ મને પાર્ટીમાં સામેલ થવાનું આમંત્રણ આપ્યું છે પરંતુ હું અંતિમ નિર્ણય લેતાં પહેલાં પોતાના સમર્થકો સાથે વાતચીત કરીશ.
નલિન કોટડિયા અંગે પૂછવામાં આવતાં જીપીપીના મહાસચિવ ગોવર્ધન ઝડફિયાએ કહ્યું હતું કે તે હજુસુધી ભાજપમાં જોડાયા નથી. જ્યારે તે ભાજપમાં જોડાશે તો અમે તેમના વિરૂદ્ધ કાર્યવાહી કરીશું.
અત્રે ઉલ્લેખનીય છે કે ધારી બગસરા સીટ પર જીપીપીના ઉમેદવાર નલીનભાઇ કોટડીયાએ ભાજપ તથા કોંગ્રેસના ઉમેદવારને પછાડી મેદાન માયું હતું. અહી નલીનભાઇ કોટડીયા તેમના નજીકના પ્રતિસ્પર્ધી કોંગ્રેસના કોકીલાબેન કાકડીયાને ૧૫૭૫ મતે હરાવી વિજેતા થયા હતા. જો કે અહી પણ ત્રણેય મુખ્ય પક્ષના ઉમેદવારો વચ્ચે કસોકસની લડાઇ ચાલી હતી.