For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Gujarat Assembly Election 2022 : જાણો વ્યારા વિધાનસભા બેઠકના ચૂંટણી સમીકરણ, 60 વર્ષથી કોંગ્રેસના હાથમાં છે સીટ

Gujarat Assembly Election 2022 : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઘણા બદલાવ થાય તેવી શક્યતા છે. આ વચ્ચે ભાજપ સાથે સાથે આમ આદમી પાર્ટી દ્વારા પણ ગુજરાતમાં સરકાર બનાવવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

|
Google Oneindia Gujarati News

Gujarat Assembly Election 2022 : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઘણા બદલાવ થાય તેવી શક્યતા છે. આ વચ્ચે ભાજપ સાથે સાથે આમ આદમી પાર્ટી દ્વારા પણ ગુજરાતમાં સરકાર બનાવવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આવામાં ઉમેદવારોને ટીકિટ ફાળવવામાં પણ ઘણી સમસ્યાઓ આવી હતી. આવામાં વ્યારા વિધાનસભાની બેઠકમાં પણ બે ઇસાઇ ઉમેદવારો મેદાનમાં છે.

Gujarat Assembly Election 2022

વ્યારા બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીમાં 20 વર્ષ બાદ કોઇ ઇસાઇ ઉમેદવારને ટીકિટ આપી છે. આ એ જ વિધાનસભા બેઠક છે, જેણે ગુજરાતને પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીના રૂપમાં આપ્યા છે. હાલ આ બેઠક માટે કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી દ્વારા ઇસાઇ ઉમેદવારોની ટીકિટ આપવામાં આવી છે.

ભાજપ-કોંગ્રેસ બને દ્વારા જીતનો દાવો

કોંગ્રેસે વ્યારા વિધાનસભા બેઠક (અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે અનામત બેઠક) પરથી તેના વર્તમાન ધારાસભ્ય પુનાભાઈ ગામીતને ટિકિટ આપી છે, જ્યારે ભાજપે વ્યારા બેઠક પરથી ચાર વખત ધારાસભ્ય ખ્રિસ્તી ઉમેદવાર મોહન કોંકણીને મેદાનમાં ઉતાર્યા છે.

ગામીત કહે છે કે, ખ્રિસ્તી મતદારો ફરીથી કોંગ્રેસને સમર્થન આપશે, જ્યારે કોંકણીનો દાવો છે કે, રાજ્યમાં ભગવા પક્ષની સરકાર દ્વારા કરવામાં આવેલા વિકાસને કારણે લોકો ભાજપને મત આપશે. જોકે, રાજકીય વિશ્લેષકો કહે છે કે, હાંસિયામાં ધકેલાઈ ગયેલા વર્ગને સાથે લઈને કોંગ્રેસના અભિગમથી તેને આદિવાસી બહુમતીવાળી બેઠકો જીતવામાં મદદ મળી છે, જ્યારે વ્યારા મતવિસ્તારમાં સામાજિક ગતિશીલતાએ ભાજપને વ્યારા જીતવામાં મદદ કરી છે, તેના પર પુનર્વિચાર કરવો પડશે.

વ્યારા બેઠકના ચૂંટણી સમીકરણો

  • દક્ષિણ ગુજરાતના આદિવાસી પ્રભુત્વ ધરાવતા તાપી જિલ્લામાં કોંગ્રેસનો ગઢ ગણાતી વ્યારા બેઠક પર કુલ 2.20 લાખ મતદારોમાંથી લગભગ 40,000 અથવા 20 ટકા ખ્રિસ્તીઓ છે.
  • વ્યારા વિધાનસભામાં મોટાભાગના ખ્રિસ્તીઓ આદિવાસીઓમાં ગામીત, ચૌધરી અને કોંકણી સમુદાયમાંથી ધર્માંતરિત થયેલા લોકો છે.
  • ગુજરાત ચૂંટણીના પ્રથમ તબક્કામાં આ બેઠક પર 1 ડિસેમ્બરના રોજ મતદાન થવાનું છે.
  • કોંગ્રેસના દિગ્ગજ નેતા અમરસિંહ ચૌધરીએ 1972 અને 1985 ની વચ્ચે 4 વખત બેઠક જીતી હતી અને 1985 માં રાજ્યના પ્રથમ અને અત્યાર સુધીના એકમાત્ર આદિવાસી મુખ્યમંત્રી બન્યા હતા.

પુનાભાઈ ગામીત પ્રથમ વખત 2004માં બેઠક પરથી પેટાચૂંટણીમાં જીત્યા હતા, જે વર્તમાન ધારાસભ્ય અને અમરસિંહ ચૌધરીના પુત્ર તુષાર ચૌધરીએ માંડવી બેઠક પરથી લોકસભાની ચૂંટણી જીત્યા બાદ જરૂરી બની હતી. જે પછી તેમનો મુકાબલો ભાજપના પ્રતાપ ગામીત સામે થયો હતો, જેમને તેમણે ત્યારપછીની ત્રણ ચૂંટણીઓમાં હરાવ્યા હતા.

2017માં ગામીત ભાજપના અરવિંદ ચૌધરીને હરાવ્યા હતા. 2022ની ચૂંટણી માટે ભાજપે પ્રથમ વખત ખ્રિસ્તી આદિવાસી ઉમેદવાર મોહન કોંકણીને મેદાનમાં ઉતારવાનો નિર્ણય કર્યો છે.

આદિવાસી બેઠકોમાં કોંગ્રેસને મળી સફળતા, ભાજપની ઉંઘ હરામ

આ મુદ્દે સમાજશાસ્ત્રી ગૌરાંગ જાનીના જણાવ્યા અનુસાર, હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયોને સાથે લઈ જવાના તેના અભિગમને કારણે આદિવાસી બેઠકોમાં કોંગ્રેસની સફળતાએ ભાજપની વ્યૂહરચના પર ફરીથી વિચાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. આ વિસ્તારમાં આદિવાસીઓનું ખ્રિસ્તી ધર્મમાં પરિવર્તન લાંબા સમયથી ચાલી રહ્યું છે, જેણે તેની સામાજિક ગતિશીલતાને જટિલ બનાવી છે.

વર્ષ 1990 બાદની છેલ્લી સાત વિધાનસભા ચૂંટણીઓમાં કોંગ્રેસે 1995 અને 2002 સિવાય રાજ્યમાં ભાજપ કરતાં વધુ સંખ્યામાં એસટી-અનામત બેઠકો જીતી છે.

વ્યારા વિધાનસભા બેઠક માટે તેમની ઉમેદવારી નક્કી કરવામાં ખ્રિસ્તી પરિબળની ભૂમિકા વિશે પૂછવામાં આવતા, ભાજપના નેતા મોહન કોંકણીએ જણાવ્યું હતું કે, અન્ય પરિબળો પણ હતા. 1995 થી પક્ષ પ્રત્યેનું તેમનું સમર્પણ અને 2002 થી તેમની જિલ્લા પંચાયત સભ્યપદે પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી અને તમામ સમુદાયોના લોકો તેમની સાથે છે. આ બેઠક પર મોટી સંખ્યામાં ખ્રિસ્તી મતદારોને અવગણી શકાય નહીં.

ફેબ્રુઆરી 2021ની ચૂંટણીમાં આદિવાસી બહુલ તાપી જિલ્લા પંચાયતમાં તેની પ્રથમ જીત બાદ ભાજપ ઉત્સાહિત છે. ભાજપ પક્ષના સિટિંગ પંચાયત સભ્ય કોંકણીએ જણાવ્યું હતું કે, હું જે બેઠક પરથી જિલ્લા પંચાયતની ચૂંટણી જીત્યો હતો, ત્યાં 75 ટકા ખ્રિસ્તી મતદારો છે અને તેઓએ મને જબરજસ્ત સમર્થન આપ્યું છે. તેથી ખ્રિસ્તીઓએ ભાજપને સમર્થન ન આપવું જોઈએ, તેવું કોઈ કારણ નથી. રાજ્યની ભાજપ સરકાર દ્વારા વિકાસના કામો થતા હોવાનું વિસ્તારની જનતાએ જોયું છે. આવી સ્થિતિમાં વ્યારા બેઠક પર કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જોરદાર જંગ જોવા મળી શકે છે. જો આ બેઠક પરથી ભાજપ રજિસ્ટ્રેશન કરાવે છે, તો તેની મોટી જીત થશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો

પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર ચૂંટણી યોજાશે. પ્રથમ તબક્કા માટે 5 નવેમ્બરના રોજ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. નોમિનેશન 14 નવેમ્બર સુધી ભરવામાં આવ્યું હતું. 15 નવેમ્બર સુધી ઉમેદવારી પત્રોની ચકાસણી અને 17 નવેમ્બર સુધી નામાંકન પરત ખેંચવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જે બાદ હવે 1 ડિસેમ્બરના રોજ પ્રથમ તબ્બાકાનું મતદાન થશે.

આવી જ રીતે બીજા તબક્કામાં 93 બેઠકો માટે ચૂંટણી યોજાશે. આ માટે 10 નવેમ્બરના રોજ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું. 17 નવેમ્બર સુધી નામાંકન ભરવામાં આવ્યું હતું. ઉમેદવારી પત્રોની ચકાસણી 18 નવેમ્બરના રોજ થઈ હતી. આવા સમયે સમયે નામો પાછા ખેંચવા માટે 20 નવેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો હતો. બીજા તબક્કા માટે 5 ડિસેમ્બરના રોજ મતદાન થશે. જ્યારે બંને તબક્કાની મત ગણતરી 8 ડિસેમ્બરના રોજ થશે.

English summary
Gujarat Assembly Election 2022 : know the election equation of Vyara assembly seat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X