For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત ચૂંટણીમાં કોની થશે જીત, યોગેન્દ્ર યાદવે કર્યું ટ્વીટ

યોગેન્દ્ર સિંહ યાદવ એક ભારતીય સામાજિક વૈજ્ઞાનિક, ચૂંટણી વિશ્લેષક છે અને આમ આદમી પાર્ટીના રાજનીતિજ્ઞ પણ રહી ચૂક્યા છે. તેમણે વિવિધ પોલ અને ભાજપ અને કોંગ્રેસના રાજકીય સમીકરણો તપાસ્યા છે.

By Shachi
|
Google Oneindia Gujarati News

યોગેન્દ્ર સિંહ યાદવ એક ભારતીય સામાજિક વૈજ્ઞાનિક, ચૂંટણી વિશ્લેષક છે અને આમ આદમી પાર્ટીના રાજનીતિજ્ઞ પણ રહી ચૂક્યા છે. તેમણે વિવિધ પોલ અને ભાજપ અને કોંગ્રેસના રાજકીય સમીકરણોને આધારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો શું આવશે એનો અંદાજ લગાવ્યો છે અને તેમણે આ અંગે ટ્વીટ પણ કર્યું છે. જો યોગેન્દ્ર યાદવે રજૂ કરેલ સંભાવના સાચી ઠરે એમ હોય તો એ ભાજપ માટે ચિંતાનો વિષય છે,કારણ કે તેમના મતે ગુજરાતમાં ભાજપ કરતાં કોંગ્રેસની જીતવાની સંભાવના વધુ છે. તેમણે ત્રણ અલગ-અલગ સંભાવનાઓ રજૂ કરી છે, જે માટે તેમણે સીએસડીએસના એક્ઝિટ પોલનો આધાર લીધો છે.

યોગેન્દ્ર યાદવના અંદાજ મુજબ પહેલી સંભાવના કંઇક આ પ્રમાણે છે. ભાજપને 43 ટકા મત સાથે 86 બેઠકો મળી શકે છે, જ્યારે કોંગ્રેસને 43 ટકા મત સાથે 92 બેઠકો મળી શકે છે. તેમના મતે ઉપરોક્ત ચૂંટણી પરિણામો આવવાની સંભાવના છે. એબીપી અને સીએસડીએસના પોલને આધારે તેમણે આ અંદાજ બાંધ્યો છે, જેમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે બરાબરીની ટક્કરની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. એ પછી તેમના બીજા અંદાજ મુજબ, ભાજપને 41 ટકા મત સાથે 65 બેઠક અને કોંગ્રેસને 45 ટકા મત સાથે 113 બેઠકો મળી શકે છે. 2 ટકા વોટ સ્વિંગને આધારે આ બીજો અંદાજ બાંધવામાં આવ્યો છે. યોગેન્દ્ર યાદવના ત્રીજા અંદાજ અનુસાર, ભાજપને આથી પણ મોટી હાર મળવાની સંભાવના છે, જેનો અંદાજ લગાવવો મુશ્કેલ છે.

English summary
gujarat election 2017 bjp in for shock defeat according to yogendra yadav
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X